નેશનલ વૉર મેમોરિયલમાં બોલ્યા વડાપ્રધાન, ‘મોદી રહે કે ના રહે આ દેશ રહેવો જોઈએ’

નેશનલ વૉર મેમોરિયલના ઉદ્ઘાઘાટન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે શહીદ થયેલ જવાનોને તે નમન કરે છે. દેશ પર જ્યારે મુશ્કેલી આવી છે ત્યારે જવાનોએ દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. દેશ પર જે ખતરો આવ્યો તેનો સામનો જવાનોએ વીરતાપૂર્વક કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી જવાનોના હિત માટે ઘણાં નિર્ણય કરવામાં આવ્યા જેમાં OROP (One Rank […]

નેશનલ વૉર મેમોરિયલમાં બોલ્યા વડાપ્રધાન, 'મોદી રહે કે ના રહે આ દેશ રહેવો જોઈએ'
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 25, 2019 | 1:57 PM

નેશનલ વૉર મેમોરિયલના ઉદ્ઘાઘાટન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે શહીદ થયેલ જવાનોને તે નમન કરે છે. દેશ પર જ્યારે મુશ્કેલી આવી છે ત્યારે જવાનોએ દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે.

દેશ પર જે ખતરો આવ્યો તેનો સામનો જવાનોએ વીરતાપૂર્વક કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી જવાનોના હિત માટે ઘણાં નિર્ણય કરવામાં આવ્યા જેમાં OROP (One Rank One Pension) મુખ્ય હતો. સુરક્ષા ક્ષેત્રે ભારતને મજબૂત બનાવવાની દિશામાં મોટા પગલાં લેવામાં આવ્યા. સુરક્ષા ક્ષેત્રે FDIને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સુરક્ષા ક્ષેત્રે મેક ઈન ઈન્ડિયાને ખુબ સફળતા મળી છે. તેની અસરથી ઘણાં દેશો હવે ભારતની સાથે મળીને આગળ વધવા માંગે છે.

TV9 Gujarati

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 2009માં સેનાએ 1 લાખથી વધારે બુલેટપ્રુફ જેકેટ માંગ્યા હતા પણ UPAની સરકારમાં 5 વર્ષ સુધી આ કેસ લટકી રહ્યો છે. કેન્દ્રમાં જ્યારે NDA સરકાર આવી તો આ વિષયમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો. સરકારે 72000થી વધારે આધુનિક રાયફલને ખરીદવાનો નિર્ણય કર્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે રાફેલનો અવાજ ગુંજશે તો ભારતની તાકાત દુનિયાના એવા દેશો જોશે જે પહેલાથી જ સુરક્ષાક્ષેત્રમાં આગળ છે. વડાપ્રધાને પૂછયું કે દેશ જાણવા માગે છે કે ઈન્ડિયા પહેલા કે પરિવાર પહેલા છે. તેમને કહ્યું કે ‘મોદી રહે કે ના રહે આ દેશ રહેવો જોઈએ’. કોંગ્રેસ સરકારે ક્યારેય સરદાર પટેલ કે આંબેડકરના મહત્વને નથી સ્વીકાર્યું. તેમના માટે પરિવાર મોટો હતો. પહેલા એક પરિવારના જ વખાણ થતા હતા પણ હવે સમય બદલાઈ ગયો છે.

[yop_poll id=1805]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">