PM MODIનાં સંબોધનની 10 ખાસ વાત, દેશનાં ખેડુતોને સંબોધનમાં ખોલી વિપક્ષોની પોલ
PM MODI એ શુક્રવારે એક વાર ફરી કૃષિ કાયદાઓને લઇને ખૂલીને વાત કરી છે. જેમાં ખેડૂત સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ મોદીએ 9 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત કૃષિ કાયદાઓને લઈને આંદોલન કરી રહેલા મુદ્દા પર તેમણે વિપક્ષ પર પણ પ્રહાર કર્યા હતા. જેમાં પશ્ચિમ બંગાળમા લેફ્ટ […]
PM MODI એ શુક્રવારે એક વાર ફરી કૃષિ કાયદાઓને લઇને ખૂલીને વાત કરી છે. જેમાં ખેડૂત સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ મોદીએ 9 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત કૃષિ કાયદાઓને લઈને આંદોલન કરી રહેલા મુદ્દા પર તેમણે વિપક્ષ પર પણ પ્રહાર કર્યા હતા. જેમાં પશ્ચિમ બંગાળમા લેફ્ટ અને મમતા સરકાર ઉપરાંત પીએમ મોદીના નિશાન પર કોંગ્રેસ, શરદ પવાર સહિત અનેક વિપક્ષી નેતા રહ્યા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં અનેક મોટા મુદ્દાઑ પર વાત કરી.
1. જે રાજકીય દળોને જનતા નકારી ચૂકી છે તે લોકો આજે કેટલાક ખેડૂતોને ગુમરાહ કરી રહી છે. કેટલાક લોકો ખેડૂતો અને સરકારની ચર્ચા નથી થવા દઇ રહ્યા. રાજકીય દળ ચર્ચામાં આવવા માટે જ આવા ઇવેંટ કરી રહ્યા છે. 2. હાલ માં જ રાજસ્થાન, જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં પંચાયત ચુંટણી થઈ છે. તેમાં મોટાભાગના ખેડૂતોએ વોટ આપ્યો છે. તેમજ ત્યાં આંદોલન કરી રહેલા દળોને લોકો નકારી ચૂક્યા છે. 3. જેટલા લોકો આજે આંદોલન ચલાવી રહ્યા છીએ તે એ સરકારની સાથે હતા . જે સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ દબાવીને બેઠા હતા. અમે ગામના ખેડૂતના કામને આસાન કરવાનો પ્રયાસ કર્યો. જે આજે ખેડૂતો માટે આંસુ વહાવી રહ્યા છે તે લોકો સત્તામાં હતા ત્યારે તેમણે શું કર્યું તે તમામને ખબર છે.
4. આંદોલનની શરૂઆતની માંગ હતી કે એમએસપીની ગેરંટી હોવી જોઇએ. હવે આ આંદોલન ભટકી ગયું છે. તેમાંથી કેટલાક લોકો પોસ્ટર લગાવીને તેમની છોડવાની માંગ કરવામાં આવી રહી છે. હવે કહી રહ્યા છીએ કે ટોલ ખાલી કરી દો. હવે ખેડૂત આંદોલનના નામ પર અનેક મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે.
5. પહેલા કૃષિ કાયદા તોડવા બદલ ખેડૂતોને પેનલ્ટી લાગતી હતી પરંતુ અમારી સરકારે હવે આ પેનલ્ટી સમાપ્ત કરી દીધી છે., હવે ખરીદ દારોએ ખેડૂતોને રિસીપ્ટ આપવી પડશે અને ત્રણ દિવસની અંદર પાકના નાણા પણ આપવા પડશે. 6 જો કોઇ ખેડૂત એગ્રીમેન્ટ કરશે તો તે ઇચ્છશે કે પાક સારો હોય.. તેવા સમયે એગ્રીમેન્ટ કરનાર વ્યક્તિ બજારમા ટ્રેન્ડ મુજબ જ ખેડૂતોને આધુનિક વસ્તુઓ ઉપલબ્ધ કરાવશે. તેમજ જો કોઇ ખેડૂતનો પાક સારો ના થાય અથવા તો બરબાદ થઈ જાય તો પણ એગ્રીમેન્ટ મુજબ ખેડૂતોને નાણાં મળશે, એગ્રીમેન્ટ કરનાર સમજૂતી નહિ તોડી શકે. પરંતુ ખેડૂત પોતાની મરજીથી એગ્રીમેન્ટ સમાપ્ત કરી શકે છે. 7 દેશની તમામ સરકાર આ યોજના સાથે જોડાઈ છે. પરંતુ માત્ર પશ્ચિમ બંગાળના 70 લાખ ખેડૂતો તેનો લાભ નથી લઇ શકતા. બંગાળની સરકાર રાજકીય રીતે ખેડૂતોને ફાયદો નથી આપી રહી, બંગાળના ખેડૂતોએ સીધા ભારત સરકારને અપીલ કરી છે. 8. જે લોકો બંગાળમા 30 વર્ષથી સરકાર ચલાઇ રહ્યા છે તે આજે આ મુદ્દે કોઇ આંદોલન નથી કરતાં. બંગાળના આ જ વિચારધારાના લોકો આજે પંજાબ પહોંચ્યા છે. બંગાળની સરકાર પોતાના રાજયના ખેડૂતોના લાભને રોકી રહી છે. પરંતુ પંજાબ પોતાના રાજકીય દુશ્મનો સાથે મળીને લડે છે. 9 એમએસપી સમાપ્ત નહિ થાય . એપીએમસી અને માર્કેટ ચાલુ રહેશે. સરકારે ખેડૂતોને એ બાબતનો ભરોસો આપ્યો છે. તેમ છતાં કોઇ પણ શંકા હોય તો સરકાર ચર્ચા માટે તૈયાર છે,
10
સરકારનું ફોકસ ખેતીનો ખર્ચ ઓછો કરવાનો છે. અનેક યોજના હેઠળ ખેડૂતોને લાભ આપવામાં આવી રહ્યો છે. મફતમાં વીજળી ગેસ પાણી સરકાર આપી રહી છે.