કુલભૂષણ જાધવ મામલે ફટકાર બાદ પાકિસ્તાનની શાન ઠેકાણે, લેશે આ નિર્ણય
કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન સરકાર એક મહત્ત્વનું પગલું લેવા જઈ રહી છે. જો પાકિસ્તાન આર્મી કુલભૂષણ જાધવને અપીલ કરવા માટે સેનાના નિયમમાં ફેરફાર કરશે તો ભારતની એક મોટી જીત આ મામલે ગણવામાં આવશે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે […]
કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન સરકાર એક મહત્ત્વનું પગલું લેવા જઈ રહી છે. જો પાકિસ્તાન આર્મી કુલભૂષણ જાધવને અપીલ કરવા માટે સેનાના નિયમમાં ફેરફાર કરશે તો ભારતની એક મોટી જીત આ મામલે ગણવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : જાણો કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનને કેમ લાગી વધુ એક ફટકાર?, જુઓ VIDEO
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા પણ પાકિસ્તાનને ફટકાર લગાવવામાં આવી છે કે પાકિસ્તાને કુલભૂષણ મામલે વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું છે. આ બાબતને લઈને પાકિસ્તાનની શાન ઠેકાણે આવતી જોવા મળી રહી છે.
પાકિસ્તાને કુલભૂષણ જાધવને અરેસ્ટ કર્યા બાદ કોઈ દૂતાવાસ સુધી પહોંચ આપી નથી. ભારતના દૂતાવાસ સુધી જાધવને લઈ જવામાં આવ્યા નથી અને કોઈ ન્યાયિક સમીક્ષા પણ કરવામાં આવી નથી. કુલભૂષણ ભારતીય નૌસેના અધિકારી છે અને તેઓની પાકિસ્તાનમાં જાસૂસી અને આતંકવાદના નામે ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ ભારત સરકાર આ કેસને આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઈને ગયી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
હવે ફરીથી કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન નબળું પડતું જણાઈ રહ્યું છે. એવા અહેવાલ સામે આવી રહ્યાં છે આગામી સમયમાં પાકિસ્તાન કુલભૂષણ મામલે અપીલ કરી શકાય તે માટે સેનાના નિયમમાં ફેરફાર કરી શકે છે. જો આમ થયું તો કુલભૂષણ જાધવ મામલે ભારતની ફરીથી એક મોટી જીત ગણાશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]