નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ સરકારના કેબિનેટ પ્રધાન પદ પરથી રાજીનામું રાહુલ ગાંધીને મોકલ્યું
તો લાંબા વિવાદ બાદ આખરે નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ રાજ્યના પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. નવજોતસિંહ સિદ્ધુ અને પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. એટલે સુધી કે પંજાબના મુખ્યપ્રધાને તો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર માટે નવજોતસિંહ સિદ્ધુને જ જવાબદાર ઠેરવ્યા હતા. સિદ્ધુ પાસેથી મહત્વના મંત્રાલય પણ ખેંચી લેવાયા હતા. રોચક VIDEO […]
તો લાંબા વિવાદ બાદ આખરે નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ રાજ્યના પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. નવજોતસિંહ સિદ્ધુ અને પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. એટલે સુધી કે પંજાબના મુખ્યપ્રધાને તો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર માટે નવજોતસિંહ સિદ્ધુને જ જવાબદાર ઠેરવ્યા હતા. સિદ્ધુ પાસેથી મહત્વના મંત્રાલય પણ ખેંચી લેવાયા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે આ તમામ વિવાદો બાદ સિદ્ધુએ રાહુલ ગાંધીને રાજીનામું આપી દીધું. આમ તો 10 જૂને એટલે કે, એક મહિના પહેલા જ સિદ્ધુએ રાજીનામું આપ્યું હતું. જો કે, તેની જાણકારી સિદ્ધુએ હવે આપી છે. સિદ્ધુએ ટ્વીટ કરીને રાજીનામું જાહેર કર્યું. 10 જૂને સિદ્ધુએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અહેમદ પટેલ સાથે મુલાકાત કરી હતી. જેનો ફોટો પણ સિદ્ધુએ એ દિવસે ટ્વીટ કર્યો હતો. પરંતુ ત્યારે સિદ્ધુએ રાજીનામા અંગે કોઈ ટિપ્પણી કરી નહીં. મનાઈ રહ્યું છે કે, એ મુલાકાત વખતે જ સિદ્ધુએ રાજીનામું આપ્યું હશે.
[yop_poll id=”1″]