ડુંગળીના ભાવને કાબૂમાં લેવા માટે સરકારે લીધો આ મહત્ત્વનો નિર્ણય, વાંચો ખબર
ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેના લીધે સરકાર પણ હરકતમાં આવી છે. દેશભરમાં ડુંગળીનો ભાવ વધવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રતિ કિલો ક્યાંક 80 તો ક્યાંક 60 રુપિયા ભાવથી ડુંગળી વેચાઈ રહી છે. આમ અચાનક જ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ભાવ વધારાના લીધે સરકાર પણ ચિંતામાં આવી ગયી […]
ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેના લીધે સરકાર પણ હરકતમાં આવી છે. દેશભરમાં ડુંગળીનો ભાવ વધવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રતિ કિલો ક્યાંક 80 તો ક્યાંક 60 રુપિયા ભાવથી ડુંગળી વેચાઈ રહી છે. આમ અચાનક જ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ભાવ વધારાના લીધે સરકાર પણ ચિંતામાં આવી ગયી છે અને તાત્કાલિક એક્શન લીધું છે.
સરકારે અંતે સ્થિતિને કાબૂમાં લેવા માટે ડુંગળીના નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય બાદ હવે ડુંગળીનો જથ્થો દેશની બહાર વેચી શકાશે નહીં. દિલ્હી સરકારે પોતાના સ્ટોકમાંથી 24 રુપિયા પ્રતિકિલો ડુંગળી વેચવાનું દિલ્હીમાં શરુ કરી દીધું છે. સરકાર મોબાઈલ વેન દ્વારા આ વેચાણ કરી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આગામી દિવસોમાં ચૂંટણીઓ પણ આવી રહી છે જેના લીધે જો ભાવમાં સતત ભડકો રહે તો સરકારને લોકોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે તેમ છે. આ કારણે જ તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે કેન્દ્ર સરકારની પાસે પર્યાપ્ત માત્રામાં ડુંગળીનો સ્ટોક છે અને તેઓ આ સ્ટોકને અલગ અલગ રાજ્યોમાં મોકલી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે એક ઈતિહાસ એવો પણ રહ્યો છે કે ડુંગળીના ભાવ વધારાને લીધે સરકારની સત્તા પણ પડી શકે. આમ ડુંગળીના ભાવને લઈને સરકાર હરકતમાં આવી છે તો દિલ્હીમાં સરકારે 24 રુપિયાના પ્રતિકિલો દરે ડુંગળી વેચવાનું શરુ કરી દીધું છે. કેન્દ્ર સરકારે અછતને ટાળી શકાય અને માર્કેટમાં સ્ટોક જળવાઈ રહે તે માટે નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]