PM મોદી ઈસરો સેન્ટરથી 8 વાગ્યે કરશે સંબોધન, ચંદ્રયાન 2 વિશે આપી શકે છે માહિતી
ચંદ્રયાન-2ના મહત્વના ભાગમાંથી એક લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવર હતા. ભારતીય અવકાશી સંસ્થા ઈસરો વિક્રમ લેન્ડરનું ચંદ્રની સપાટી સોફ્ટ લેન્ડિંગ કરાવવા ઈચ્છતી હતી. ઈસરો દ્વારા જાણકારી આપવામાં આવી કે 2.1 કિમી બાકી હતું ત્યારે ઈસરોના કંટ્રોલરુમ સાથે વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટી ગયો હતો. અચાનક ઈસરોના કંટ્રોલરુમની પેનલના આંકડાઓ ખોરવાઈ ગયા હતા. Facebook પર તમામ મહત્વના […]
ચંદ્રયાન-2ના મહત્વના ભાગમાંથી એક લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવર હતા. ભારતીય અવકાશી સંસ્થા ઈસરો વિક્રમ લેન્ડરનું ચંદ્રની સપાટી સોફ્ટ લેન્ડિંગ કરાવવા ઈચ્છતી હતી. ઈસરો દ્વારા જાણકારી આપવામાં આવી કે 2.1 કિમી બાકી હતું ત્યારે ઈસરોના કંટ્રોલરુમ સાથે વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટી ગયો હતો. અચાનક ઈસરોના કંટ્રોલરુમની પેનલના આંકડાઓ ખોરવાઈ ગયા હતા.
આ પણ વાંચો : લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટ્યો પણ આ ભાગ મોકલી રહ્યો છે ચંદ્રની ખાસ માહિતી
આ બાદ પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને આશ્વાસન આપતા કહ્યું કે તેઓ તેમની સાથે છે. ઈસરો દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી કે શનિવારના રોજ 8 વાગ્યે પીએમ મોદી ઈસરોના સેન્ટરથી દેશને સંબોધિત કરશે. જેમાં તેઓ ચંદ્રયાન-2 વિશે માહિતી આપી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તમને જણાવી દઈએ કે વિક્રમ અને પ્રજ્ઞાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે પણ ઓર્બિટર સાથે હજુ પણ ઈસરો સંપર્કમાં છે અને જેના દ્વારા 1 વર્ષ સુધી વિવિધ ચંદ્ગની માહિતી મળતી રહેશે. જો કે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંપર્ક ગમે ત્યારે થઈ શકે તેવી પણ શક્યતા છે અને જો આવું થાય તો તે ઈસરો માટે એક ચમત્કાર જ હશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]