કોરોનાનો કેર યથાવત, મહારાષ્ટ્ર સરકારના મંત્રીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
કોરોના વાઈરસને લઈને મોટા સમાચાર મહારાષ્ટ્રથી આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એનસીપી નેતા અને મંત્રી જિતેન્દ્ર અવ્હાડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલાં તેમના સ્ટાફના 14 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં 5 પોલીસ જવાનો છે. આ ઘટના બાદ જિતેન્દ્ર અવ્હાડ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. Facebook પર તમામ મહત્વના સમાચાર […]
કોરોના વાઈરસને લઈને મોટા સમાચાર મહારાષ્ટ્રથી આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એનસીપી નેતા અને મંત્રી જિતેન્દ્ર અવ્હાડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલાં તેમના સ્ટાફના 14 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં 5 પોલીસ જવાનો છે. આ ઘટના બાદ જિતેન્દ્ર અવ્હાડ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા.
આ પણ વાંચો : આજે નવા 217 કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ દર્દી 2624 થયા, જાણો જિલ્લા મુજબ કેસની વિગત
એનસીપી નેતા જિતેન્દ્રએ જાણકારી આપી હતી કે તેઓ જે વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ જિતેન્દ્ર અવ્હાડે ક્વોરન્ટાઈન થવાની જાહેરાત કરી હતી. તેઓ મુંબઈના કાલવા-મુંબ્રા વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા છે અને આ વિસ્તારમાં ઘણાંબધાં કોરોના વાઈરસના કેસ સામે આવ્ચા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જિતેન્દ્ર અવ્હાડ એક પોલીસ અધિકારીના સંપર્કમાં પણ આવ્યા હતા અને બાદમાં તે પોલીસ અધિકારીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેઓ મહારાષ્ટ્રના પ્રથમ મંત્રી છે જેમનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ પોતાની વિધાનસભાના લોકોને અપીલ પણ કરી હતી કે કોરોનાની મહામારી સામે લડવામાં સરકારને સાથ આપે, ઘરમાં રહે અને લોકડાઉનનું પાલન કરે. જિતેન્દ્ર અવ્હાડના સંપર્કમાં આવેલાં પૂર્વ સાંસદ આનંદ પરાંજપેનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]