માયાવતીએ ગેસ્ટહાઉસ કાંડમાં મુલાયમસિંહ યાદવની વિરૂદ્ધ કેસ પાછો ખેંચ્યો, UPના રાજકારણમાં મોટી હલચલ

BSPના અધ્યક્ષ માયાવતીએ SPના મુલાયમસિંહ યાદવની વિરૂદ્ધ ગેસ્ટ હાઉસકાંડમાં દાખલ કરેલા કેસને પાછો ખેંચવા માટે શપથપત્ર દાખલ કર્યુ છે. BSPના રાષ્ટ્રીય મહાસચિવ સતીશચંદ્ર મિશ્રાએ તેની પુષ્ટી કરી છે. માયાવતીના આ નિર્ણયથી ઉત્તરપ્રદેશનું રાજકારણ ગરમાયું છે. માયાવાતી ગેસ્ટહાઉસકાંડમાં માત્ર મુલાયમસિંહ પર દરિયાદિલી બતાવી રહ્યા છે. આ કેસથી જોડાયેલા બાકી લોકો પર કેસ ચાલુ રહેશે. માયાવતી પર […]

માયાવતીએ ગેસ્ટહાઉસ કાંડમાં મુલાયમસિંહ યાદવની વિરૂદ્ધ કેસ પાછો ખેંચ્યો, UPના રાજકારણમાં મોટી હલચલ
Follow Us:
| Updated on: Nov 08, 2019 | 7:50 AM

BSPના અધ્યક્ષ માયાવતીએ SPના મુલાયમસિંહ યાદવની વિરૂદ્ધ ગેસ્ટ હાઉસકાંડમાં દાખલ કરેલા કેસને પાછો ખેંચવા માટે શપથપત્ર દાખલ કર્યુ છે. BSPના રાષ્ટ્રીય મહાસચિવ સતીશચંદ્ર મિશ્રાએ તેની પુષ્ટી કરી છે. માયાવતીના આ નિર્ણયથી ઉત્તરપ્રદેશનું રાજકારણ ગરમાયું છે.

માયાવાતી ગેસ્ટહાઉસકાંડમાં માત્ર મુલાયમસિંહ પર દરિયાદિલી બતાવી રહ્યા છે. આ કેસથી જોડાયેલા બાકી લોકો પર કેસ ચાલુ રહેશે. માયાવતી પર હુમલાને લઈને મુલાયમસિંહ યાદવ, શિવપાલસિંહ યાદવ, SP નેતા ધનીરામ વર્મા, મોહમ્મદ આઝમ ખા, બેની પ્રસાદ વર્મા સહિત ઘણા નેતાઓની વિરૂદ્ધ હજરતગંજ કોતવાલીમાં 3 કેસ દાખલ છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અહેવાલ મુજબ લોકસભા ચૂંટણી પહેલા થયેલા ગઠબંધન દરમિયાન BSP અને SPની વચ્ચે આ વાત પર કરાર થયો હતો. અખિલેશ યાદવે માયવાતી પાસે ગેસ્ટહાઉસ કેસમાં મુલાયમસિંહની વિરૂદ્ધ કેસ પાછો ખેંચવાની માગ કરી હતી. તેની પર માયાવતીએ ફેબ્રુઆરીમાં જ મુલાયમસિંહની વિરૂદ્ધ કેસ પાછો ખેંચવાનું શપથપત્ર આપ્યું હતું પણ આ વાત મીડિયામાં લીક કરવામાં આવી નહતી.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ઉત્તરપ્રદેશના મેનપુરીમાં BSP-SPની સંયુક્ત રેલીમાં માયાવતીએ ગેસ્ટહાઉસ કાંડને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું હતું કે તે ગેસ્ટહાઉસ કાંડને ભૂલવા અને માફ કરવા માટે તૈયાર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું હતો ગેસ્ટહાઉસ કાંડ

બાબરી ધ્વંસ પછી 1993માં BSP-SPએ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી. ત્યારબાદ ગઠબંધનની સરકાર બની અને મુલાયમસિંહ યાદવ મુખ્યમંત્રી બન્યા પણ ગઠબંધન સરકાર 2 વર્ષથી વધારે ના ચાલી શકી. માયાવતીએ 1995માં મુલાયમસિંહ સરકાર પાસેથી સમર્થન પાછુ લઈ લીધું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

માયાવતીએ 2 જૂન 1995ના રોજ ગઠબંધન તોડવાને લઈ સ્ટેટ ગેસ્ટ હાઉસમાં BSP ધારાસભ્યોની બેઠક બોલાવી. ત્યાં SP નેતાઓએ ઘણા સમર્થકોની સાથે ગેસ્ટહાઉસ પર હુમલો કરી દીધો. SP નેતાઓના હુમલાથી બચવા માટે માયાવાતીએ પોતાને રૂમમાં બંધ કરી દીધા હતા.

SP નેતાઓ પર માયાવતીની સાથે ગેરવર્તણૂંક કરવાનો આરોપ છે. આ વિવાદ સમગ્ર દેશમાં ચર્ચામાં હતો. SPના ઘણા નેતાઓની વિરૂદ્ધ માયાવતીએ હજરતગંજ કોતવાલીમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ આજે પણ કોર્ટમાં ચાલી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">