માની ગયા મનસુખ વસાવા, ભાજપ ઘી નાં ઠામમાં ઘી પાડી દેવામાં સફળ
આખરે ઘી નાં ઠામમાં ઘી પાડી દેવામાં ભાજપ સફળ થયું છે અને નારાજ સાંસદમનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચી લીધુ છે. મનસુખ વસાવાએ ભાજપ સાથે સમાધાન કર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે. વનમંત્રી ગણવત વસાવા સાથે મનસુખ વસાવાએ આજે સવારે બેઠક યોજી હતી અને ત્યારબાદ તે ગાંધીનગર મુખ્યપ્રધાનને મળવા માટે આવ્યા હતા. બેઠક કરી લીધા બાદ […]
આખરે ઘી નાં ઠામમાં ઘી પાડી દેવામાં ભાજપ સફળ થયું છે અને નારાજ સાંસદમનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચી લીધુ છે. મનસુખ વસાવાએ ભાજપ સાથે સમાધાન કર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે. વનમંત્રી ગણવત વસાવા સાથે મનસુખ વસાવાએ આજે સવારે બેઠક યોજી હતી અને ત્યારબાદ તે ગાંધીનગર મુખ્યપ્રધાનને મળવા માટે આવ્યા હતા. બેઠક કરી લીધા બાદ તેમણે જણાવ્યું હતું કે કારણ એ જ હતું કે તબિયત સારી નથી. લોકસભા વિસ્તારમાં પ્રવાસ થઈ શક્તો નથી પાર્ટી સાથે નારાજગી નથી. એટલે કે ગુજરાત ભાજપમાં હવે બધુ ફરી સારૂ થઈ ગયું છે. જણાવી દઈએ કે કાલે જેવું મનસુખ વસાવાએ રાજીનામું આપ્યાનાં સમાચાર ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પાસે પહોચ્યા કે તરત જ તેમણે ડેમેજ કન્ટ્રોલની શરૂઆત કરી નાખી હતી અને આખરે તેમાં તેઓ સળ થયા હતા.
સાસંદ મનસુખ વસાવાનાં જણાવ્યા પ્રમાણે તેમણે કોઈ પણ પ્રકારની રાજકીય સોદાબાજી નથી કરી, અને સરકારને દબાણમાં લાવવા માટે પણ રાજીનામું નથી આપ્યું. ઈકોસેન્સેટીવ ઝોનને લઈને વડાપ્રધાનને પત્ર લખ્યો હતો.