મનોહર પર્રિકરની હતી રક્ષા સોદાઓ પર જોરદાર પકડ, પર્રિકરે એક સોદામાં સરકારના અંદાજે 49 હજાર કરોડ રુપિયા બચાવી લીધા હતા!
રશિયા પાસેથી S 400ની ખરીદીને લઈને પૂર્વ રક્ષામંત્રી મનોહર પર્રિકરે સમીક્ષાનો આદેશ આપ્યો હતો. જે બાદ ઓછી અને મધ્યમ અંતરની માત્ર 100-100 મિસાઈલ ખરીદવાનો નિર્ણય લેવાયો હતો. બહુ ઓછા લોકો જાણતા હશે કે, મનોહર પર્રિકર જે સમયે રક્ષામંત્રી હતા, તે સમયે રશિયા સાથે હથિયારની ખરીદી વખતે કેટલાક એવા નિર્ણયો લીધા હતા, જેના કારણે તેમણે સરકારના […]
રશિયા પાસેથી S 400ની ખરીદીને લઈને પૂર્વ રક્ષામંત્રી મનોહર પર્રિકરે સમીક્ષાનો આદેશ આપ્યો હતો. જે બાદ ઓછી અને મધ્યમ અંતરની માત્ર 100-100 મિસાઈલ ખરીદવાનો નિર્ણય લેવાયો હતો.
બહુ ઓછા લોકો જાણતા હશે કે, મનોહર પર્રિકર જે સમયે રક્ષામંત્રી હતા, તે સમયે રશિયા સાથે હથિયારની ખરીદી વખતે કેટલાક એવા નિર્ણયો લીધા હતા, જેના કારણે તેમણે સરકારના 49,300 કરોડ રૂપિયા બચાવ્યા હતા. રશિયા પાસેથી S-400 ઓછી, મધ્યમ અને લાંબા અંતરની મિસાઈલ ખરીદવાની હતી. પરંતુ ઍરફોર્સે ટેક્નિકલ તપાસ અને દૂનિયાના અન્ય દેશોની ઍર ડિફેંસ સિસ્ટમની સમીક્ષા કર્યા પછી નોંધ્યુ કે ઓછી અને મધ્યમ અંતરની મિસાઈલને ઓછી સંખ્યામાં ખરીદવી જોઈએ.
ખરેખર, એર ડિફેંસ સ્ટ્રેટેજી ત્રણ સ્તરોની હોય છે. જે અંગે પૂર્વ રક્ષામંત્રીએ ઍરફોર્સને તે વાત માટે સહમત કર્યા કે લાંબા અંતરની સિસ્ટમ ખરીદ્યા પછી ઓછી અને મધ્યમ અંતરનાં આ હથિયારોની ઉપયોગીતા રહેતી નથી. જેથી મધ્યમ અને ઓછા અંતરની માત્ર 100-100 સિસ્ટમ ખરીદવા જોઈએ.
S-400ની 5 સિસ્ટમની કિંમત 6.1 અરબ ડોલર એટલે કે 427 અરબ રૂપિયા થાય છે. ભારતે આજ સુધી આટલી મોંઘી એર ડિફેંસ સિસ્ટમ ખરીદી નથી. પરંતુ પ્રતિ વર્ગફુટ કરવેજ એરિયા પ્રમાણે ગણતરી કરીએ તો દુનિયામાં તમામ ઍર ડિફેન્સ સિસ્ટમ કરતા સસ્તી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]