Mamata Banerjee એ ચૂંટણીની તારીખોની જાહેરાત પૂર્વે કામદારોના વેતનમાં વધારો કર્યો
પશ્ચિમ બંગાળના સીએમ Mamata Banerjee એ આચારસંહિતા અમલીકરણ પૂર્વે દૈનિક કામદારોના લધુત્તમ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
પશ્ચિમ બંગાળના સીએમ Mamata Banerjee એ આચારસંહિતા અમલીકરણ પૂર્વે દૈનિક કામદારોના લધુત્તમ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. મમતા બેનર્જીએ આચારસંહિતા અમલી બન્યા પૂર્વે તેની જાહેરાત કરી છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન Mamata Banerjee એ ચુંટણીની તારીખોની જાહેરાત અને આચારસંહિતા અમલી બન્યાના થોડી મિનિટો પહેલા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે મોટો નિર્ણય લીધો છે. મમતા સરકારે દૈનિક મજૂરોનું વેતન વધારવાની જાહેરાત કરી છે.
I am pleased to announce a HIKE in the wages of daily wage workers under WB Urban Employment Scheme:
> To ₹202 per day from ₹144 earlier for unskilled labour
> To ₹303 from ₹172 earlier for semi-skilled
> ₹404 for skilled labour (new category introduced)
(1/2)
— Mamata Banerjee (@MamataOfficial) February 26, 2021
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને આની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીની જાહેરાત મુજબ, અકુશળ રોજગાર મજૂરોની વેતન દરરોજ 144 રૂપિયાથી વધારીને 202 રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે. અર્ધ કુશળ કામદારોને હવે રૂપિયા 172 ને બદલે 303 રૂપિયા મળશે, જ્યારે કુશળ કામદારોને 404 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.