Mamata Banerjee પણ ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ બોલાવી શકે છે વિધાનસભા સત્ર, ભાજપ પર દબાણ લાવવા પ્રયાસ
પશ્ચિમ બંગાળમા આ વર્ષે યોજાનારી વિધાનસભા ચુંટણીને લઇને રાજકારણ અત્યારથી જ ચરમ પર છે. જેમાં એક તરફ ભાજપ Mamata Banerjee પણ અલગ રીતે દબાણ વધારી રહ્યું છે. તેવા સમયે મમતા બેનર્જી પણ ભાજપ પર દબાણ વધારવાની કવાયતમા છે . જેમાં મમતા બેનર્જી હાલ ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમા ઉતર્યા છે. તેમજ મમતા […]
પશ્ચિમ બંગાળમા આ વર્ષે યોજાનારી વિધાનસભા ચુંટણીને લઇને રાજકારણ અત્યારથી જ ચરમ પર છે. જેમાં એક તરફ ભાજપ Mamata Banerjee પણ અલગ રીતે દબાણ વધારી રહ્યું છે. તેવા સમયે મમતા બેનર્જી પણ ભાજપ પર દબાણ વધારવાની કવાયતમા છે . જેમાં મમતા બેનર્જી હાલ ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમા ઉતર્યા છે.
તેમજ મમતા બેનર્જી આગામી દિવસમા આ ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ લાવવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની કવાયત કરી રહ્યા છે. હાલ પંજાબ, રાજસ્થાન, છત્તીસગઠ, પોંડેચરી અને કેરલે કૃષિ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ મંજૂર કર્યો છે.
મમતા બેનર્જીએ કહ્યું કે ‘ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમા પ્રસ્તાવ પસાર કરવા માટે આગામી દિવસમા વિધાનસભાનું સત્ર બોલાવવામા આવશે. અમે ખેડૂતોની ત્રણ બિલ પરત લેવાની માંગ સાથે ઊભા છીએ. આ ત્રણ બિલ દેશના ખેડૂતોના હિતમાં પરત લેવા જોઇએ.
આ ઉપરાંત મમતા બેનર્જી પીએમ મોદી કિસાન યોજનાને પશ્વિમ બંગાળમાં લાગુ કરવાને લઇને રાજય સરકાર તૈયાર હોવાના સંકેત આપતા કહ્યું કે તેમણે કેન્દ્ર પાસે એવા ખેડૂતોની વિગત માંગી છે જેમણે કેન્દ્ર સરકારના પોર્ટલ પર આ યોજના માટે પોતાની નોંધણી કરાવી હોય