મહારાષ્ટ્ર સરકારે દેવેન્દ્ર ફડણવીસ, રાજ ઠાકરે સહિત ભાજપ નેતાઓની સુરક્ષામાં ઘટાડો કર્યો

મહારાષ્ટ્ર સરકારે વિધાનસભા વિપક્ષ નેતા તેમજ પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પરિવારની, ઉત્તરપ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાયક, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની સુરક્ષામાં ઘટાડો કર્યો

મહારાષ્ટ્ર સરકારે દેવેન્દ્ર ફડણવીસ, રાજ ઠાકરે સહિત ભાજપ નેતાઓની સુરક્ષામાં ઘટાડો કર્યો
ફાઇલ ફોટો : મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 10, 2021 | 11:15 PM

મહારાષ્ટ્ર સરકારે વિધાનસભા વિપક્ષ નેતા તેમજ પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પરિવારની, ઉત્તરપ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાયક, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની સુરક્ષામાં ઘટાડો કર્યો તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને આપેલી સુરક્ષા પાછી લઈ લીધી છે. મહારાષ્ટ્રના ભાજપ પ્રવક્તા કેશવ ઉપાધ્યાએ આને “બદલાની રાજનીતિ” ગણાવી છે. બીજી બાજુ ફડણવીસે કહ્યું કે સુરક્ષામાં ઘટાડો થવાથી તેમના પ્રવાસ અને સમર્થકો-જનતાને મળવાની યોજનાઓ પર કોઈ અસર નહીં પડે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કોની સુરક્ષામાં કેટલો ઘટાડો?

મહારાષ્ટ્ર સરકાર દ્વારા 8 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલી અધિસૂચના મૂજબ દેવેન્દ્ર ફડણવીસને હવે “ઝેડ પ્લસ”ના બદલે “એસ્કોર્ટ સાથે વાઈ પ્લસ” સુરક્ષા મળશે. દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા અને પુત્રી દ્વિજાની સુરક્ષા “એસ્કોર્ટ સાથે વાય પ્લસ”થી ઘટાડીને “એક્સ શ્રેણી” સુરક્ષા આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાઈકની “વાય પ્લસ” સુરક્ષા ઘટાડીને “વાય શ્રેણી”ની સુરક્ષા આપવામાં આવી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની “ઝેડ શ્રેણી” સુરક્ષાઘટાડીને “એસ્કોર્ટ સાથે વાય પ્લસ” સુરક્ષા આપવામાં આવી છે. આ સાથે જ મહારાષ્ટ્રના લોકાયુક્ત એમ.એલ. ટાહિલિયાનીની “ઝેડ શ્રેણી” સુરક્ષા ઘટાડીને “વાય શ્રેણી” કરવામાં આવી છે.

કોની સુરક્ષા પાછી લેવામાં આવી?

દેવેન્દ્ર ફડણવીસ અને પરિવાર રામ નાઈક અને રાજ ઠાકરેની સુરક્ષામાં ઘટાડો કરવાની સાથે જ ભાજપના કેટલાક નેતાઓને અપાયેલી સુરક્ષા પાછી લેવામાં આવી છે. જેમની સુરક્ષા પાછી લેવામાં આવી છે એમાં પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારનો સમાવેશ થાય છે.

13 નવા લોકોને સુરક્ષા અપાઈ

મહારાષ્ટ્ર સરકારે 11 લોકોની સુરક્ષામાં ઘટાડો કર્યો, 16 લોકોની સુરક્ષા પાછી લેવામાં આવી અને સાથે જ નવા 13 લોકોને સુરક્ષા આપવામાં આવી છે. જેમને સુરક્ષા આપવામાં આવી છે એમાં ઉપમુખ્યપ્રધાન અજીત પવારના પત્ની સુનેત્રા પવાર, યુવા સેનાના સચિવ વરૂણ સરદેસાઈના નામ પણ સામેલ છે. બન્નેને “એક્સ શ્રેણી”ની સુરક્ષા આપવામાં આવી છે.

આ પણ વાંચો: Whatsapp અને Facebook વિરુદ્ધ વેપારીઓનો વિરોધ, પ્રતિબંધ મૂકવાની માંગ

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">