જ્યોતિરાદિત્ય સિંધિયાના એક નિવેદનના જવાબમાં ગુસ્સે થયા મુખ્યપ્રધાન કમલનાથ
શું મધ્યપ્રદેશ કોંગ્રેસમાં બધુ બરાબર ચાલી રહ્યું છે? શું મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ શરૂ થયો છે. શું સિંધિયા અને કમલનાથ વચ્ચે કોઈ મતભેદ ચાલી રહ્યા છે. આ સવાલ શનિવારે મુખ્યમંત્રી કમલનાથના એક નિવેદન પછી ઉભા થઈ રહ્યા છે. આ પણ વાંચોઃ LRD પરીક્ષાનો વિવાદઃ બિન-અનામત વર્ગની માગણીઓ પર ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન Web […]
શું મધ્યપ્રદેશ કોંગ્રેસમાં બધુ બરાબર ચાલી રહ્યું છે? શું મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ શરૂ થયો છે. શું સિંધિયા અને કમલનાથ વચ્ચે કોઈ મતભેદ ચાલી રહ્યા છે. આ સવાલ શનિવારે મુખ્યમંત્રી કમલનાથના એક નિવેદન પછી ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ LRD પરીક્ષાનો વિવાદઃ બિન-અનામત વર્ગની માગણીઓ પર ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન
મહત્વનું છે કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર 15 વર્ષના વનવાસ પછી મહામહેનતે સત્તા પર આવી છે. જો કે, કોંગ્રેસને ચૂંટણીમાં પૂરતી બહુમતી મળી નથી. જેથી સપા, બસપા અને અપક્ષના ધારાસભ્યોનું સમર્થન લેવાયું છે. અને વરિષ્ઠ નેતા કમલનાથને મુખ્યપ્રધાનની ગાદી સોંપવામાં આવી છે. જે બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા સતત કમલનાથ પર પ્રહાર કરી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
શિક્ષકોના એક કાર્યક્રમમાં સિંધિયાએ કહ્યું હતું કે, અમારી સરકાર તમને આપેલા વચનને પૂરા કરશે નહીં. તો હું તમારી સાથે રસ્તા પર આંદોલન માટે આવીશ. આ નિવેદન પર કમલનાથનો જવાબ માગ્યો તો, મુખ્યમંત્રી ગુસ્સે ભરાયા હતા. અને કહ્યું કે, ‘તો એ રસ્તા પર ઉતરી જાય’