જાણો કોણ છે શક્તિ ભાર્ગવ, જેેમણે ભાજપના પ્રવક્તા GVL નરસિમ્હા રાવ પર જૂતું ફેંક્યું ?
દિલ્હી સ્થિત ભાજપના હેડકવાર્ટરમાં પાર્ટીના પ્રવક્તા GVL નરસિમ્હા રાવ પર એક વ્યક્તિએ જૂતું ફેંક્યુ હતુ. આ વ્યક્તિ કાનપુરનો રહેવાસી છે. જૂતું ફેંકવા વાળા વ્યક્તિની પાસે એક વિઝીટિંગ કાર્ડ પણ મળ્યુ હતુ. આ વ્યક્તિ પત્રકારોને બેસેવાની જગ્યા પર પહેલી લાઈનમાં બેઠો હતો. તે વ્યક્તિનું નામ શક્તિ ભાર્ગવ બતાવવામાં આવી રહ્યું છે. TV9 Gujarati Web Stories View […]
દિલ્હી સ્થિત ભાજપના હેડકવાર્ટરમાં પાર્ટીના પ્રવક્તા GVL નરસિમ્હા રાવ પર એક વ્યક્તિએ જૂતું ફેંક્યુ હતુ.
આ વ્યક્તિ કાનપુરનો રહેવાસી છે. જૂતું ફેંકવા વાળા વ્યક્તિની પાસે એક વિઝીટિંગ કાર્ડ પણ મળ્યુ હતુ. આ વ્યક્તિ પત્રકારોને બેસેવાની જગ્યા પર પહેલી લાઈનમાં બેઠો હતો. તે વ્યક્તિનું નામ શક્તિ ભાર્ગવ બતાવવામાં આવી રહ્યું છે.
જે સમયે નરસિમ્હા રાવ પત્રકારોને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે અચાનક આ વ્યક્તિએ તેમની પર જૂતું ફેંક્યુ હતુ પણ આ જુતૂં તેમને વાગ્યુ ન હતુ. અત્યાર સુધી એ જાણવા મળ્યુ નથી કે આ વ્યક્તિએ કયા કારણસર જૂતું ફેંક્યુ હતુ. આ વ્યક્તિ પાસેથી એક વિઝીટીંગ કાર્ડ મળ્યુ છે. તે પ્રમાણે તેનુ નામ ડૉ. શક્તિ ભાર્ગવ છે. જુતૂં ફેંક્યા પછી આજુબાજુના લોકોએ તેને પકડી લીધો અને પોલીસ તેને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને વધુ તપાસ કરી રહી છે.
ડૉ. શક્તિ ભાર્ગવે તેના ફેસબુક અકાઉન્ટ પર પોતાને વ્હિસલ બ્લોઅર ગણાવે છે. શક્તિ ભાર્ગવની માતા દયા ભાર્ગવે જણાવ્યુ કે તેમના પુત્ર સાથે તેમનો કોઈ સંપર્ક નથી. મારો પુત્ર મારાથી અલગ રહે છે. ઘણા પત્રકારોના કહેવા મુજબ આ વ્યક્તિ છેલ્લા ઘણા દિવસોથી ભાજપની ઓફિસે આવી રહ્યો હતો. કાનપુરમાં બંધ મિલોને લઈને પણ શક્તિ ભાર્ગવે અવાજ ઉઠાવ્યો હતો. ફેસબુકમાં શક્તિ ભાર્ગવે લખ્યુ છે કે PSU કર્મચારીઓની આત્મહત્યા માટે સરકાર જવાબદાર છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]