હરિયાણાની જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ ભાજપ પર રાષ્ટ્રવાદને લઇને શાબ્દિક હુમલો કર્યો છે. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, ભાજપ હરિયાણાને રાષ્ટ્રવાદ ન શીખવાડે. કેમ કે જેટલા જવાન હરિયાણાના બોર્ડર પર શહીદ થયા છે. એટલા ગુજરાતના જવાન આજસુધી સેનામાં ભરતી પણ નહીં હોય.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, હરિયાણાનું કોઇ એવુ ગામ નથી, જ્યાંથી કોઇ શહીદ ન થયું હોય. અમને આ ભૂમિ પર ગર્વ છે. જેણે દેશને મજબૂત બનાવ્યો. સીમા પર દર 10 જવાન હરિયાણાના છે. પછી તે ચીનની બોર્ડર હોય કે પછી પાકિસ્તાનની.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો