કાશ્મીરની પરિસ્થિતિ પર રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિવેદન, આગામી દિવસોમાં 50 હજાર જોબ ઉભી કરવામાં આવશે
જમ્મુ કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે કાશ્મીરના માહોલ વિશે પત્રકાર પરિષદ યોજી હતી. સરકારના નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું કે, આ 370 દૂર થવું કાશ્મીર અને લદાખના લોકો માટે ફાયદાકારક છે. સાથે કહ્યું કે, જમ્મુ કાશ્મીરની સ્થિતિ સુધીરી રહી છે. અહીના લોકો દેશના અન્ય રાજ્યની જનતાથી ઘણા પાછળ છે. કાશ્મીરમાં મૂળી રોકાણ નથી થયું પણ હવે જૂની […]
જમ્મુ કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે કાશ્મીરના માહોલ વિશે પત્રકાર પરિષદ યોજી હતી. સરકારના નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું કે, આ 370 દૂર થવું કાશ્મીર અને લદાખના લોકો માટે ફાયદાકારક છે. સાથે કહ્યું કે, જમ્મુ કાશ્મીરની સ્થિતિ સુધીરી રહી છે. અહીના લોકો દેશના અન્ય રાજ્યની જનતાથી ઘણા પાછળ છે. કાશ્મીરમાં મૂળી રોકાણ નથી થયું પણ હવે જૂની વાતને ભૂલી લોકોના વિકાસનું કાર્ય કરવાનું છે. 370 દૂર થયા બાદ અમે કાનૂન વ્યવસ્થા જાળવવામાં લાગી ગયા છે. આગામી ત્રણ મહિનામાં 50 હજાર યુવાનોને નોકરી આપવામાં આવશે. કેન્દ્ર સરકાર પણ રોજગારીના કામમાં લાગી ગઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ કાર અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માતમાં ડ્રાઈવરને કાઢ્વા ફાયર વિભાગની મદદ લેવાઈ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગવર્નરે કહ્યું કે, દેશમાં ખોટી હો હલ્લો થઈ રહ્યો છે. કાશ્મીરમાં મોબાઈલ ફોન બંધ થવું તે પહેલી ઘટના નથી. અગાઉ પણ મોબાઈલ ફોન બંધ રહ્યા છે. 25 દિવસની આ મુશ્કેલી કાશ્મીરીઓ માટે સારા દિવસ લાવવાનું છે. અમને લોકોના જિવનની કદર છે. ગત પંચાયતની ચૂંટણીમાં એક પણ વ્યક્તિનો જીવ ગયો નથી. હોસ્પિટલમાં દવા ન હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. એ વાત એકદમ ખોટી છે. રાજ્યપાલ તરીકે હું સતત પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યો છું.
મોબાઈલ ફોનના પ્રતિબંધ પર કહ્યું કે, ફોન અને મોબાઈલના ઈન્ટરનેટને બંધ રાખવું હાલની પરિસ્થિતિ માટે જરૂરી છે. પાકિસ્તાનના આતંકી ઈન્ટરનેટનો ઉપયોગ હથિયાર માટે કરવામાં આવી શકે છે. પણ આ પ્રતિબંધ થોડા સમય માટે છે. 81 પોલીસ સ્ટેશનમાંથી પ્રતિબંધ હટાવી દીધી છે. શાળાઓ પણ ધીમે ધીમે ખુલી રહી છે.
[yop_poll id=”1″]