ટ્વિટરની મનમાની પર નવા આઇટી મંત્રીનું નિવેદન, કહ્યું માનવા પડશે દરેક કાયદા
નવા આઇટી કાયદાના અમલમાં ટ્વિટરની મનમાનીને લઇને આઇ ટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે દેશનો કાયદો સર્વોપરી છે તેમજ તે તમામે માનવો પડશે. ટ્વિટરને પણ નિયમોનું પાલન કરવું પડશે.
મોદી સરકારના મંત્રીમંડળમાં સ્થાન પામનારા નવા મંત્રીઓ હવે ધીરે ધીરે તેમના મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહ્યા છે. જેમાં રવિશંકર પ્રસાદની જગ્યાએ નવા આઇટી(IT) મંત્રી બનેલા અશ્વિની વૈષ્ણવે( ( Aswini Vaisanav) કાર્યભાર સંભાળતા જ ટ્વિટરને સખત સંદેશ આપ્યો છે. જેમાં નવા આઇટી કાયદાના અમલમાં ટ્વિટરની મનમાનીને લઇને આઇ ટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે દેશનો કાયદો સર્વોપરી છે તેમજ તે તમામે માનવો પડશે. ટ્વિટરને પણ નિયમોનું પાલન કરવું પડશે.
મંત્રી અશ્વિની વૈષ્ણવે ( Aswini Vaisanav) કહ્યું કે ભારતમાં જે પણ વ્યક્તિ છે અને જે પણ કંપનીઓ તેમણે દેશના કાયદા માનવા પડશે.આ દરમ્યાન ફરિયાદ અધિકારીની નિમણૂક ન કરવા બદલ કોર્ટ કાર્યવાહીનો સામનો કરી રહેલા ટ્વિટરે દિલ્હી હાઇકોર્ટમાં ફરિયાદ અધિકારીની નિયુક્તિ માટે બે અઠવાડિયાનો સમયગાળો થશે તેમ જણાવ્યું છે.
ભારતમાં સંપર્ક ઓફિસ સ્થાપવાની તૈયારીમાં
કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે આખરે Twitter ઝૂક્યું છે. જેમાં ટ્વિટરે સોગંદનામું દાખલ કરીને દિલ્હી હાઈકોર્ટને માહિતી આપી છે કે નવા આઇટી (IT) નિયમોનું પાલન કરવા માટે ફરિયાદ અધિકારીની નિમણૂક કરવામાં માટે તેને 8 અઠવાડિયાનો સમય લાગશે. ટ્વિટરે કોર્ટને એમ પણ કહ્યું છે કે તે ભારતમાં સંપર્ક ઓફિસ સ્થાપવાની તૈયારીમાં છે જે તેનું કાયમી સરનામું હશે.
આઇટી નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે
ટ્વિટરે એમ પણ કહ્યું છે કે તે 11 જુલાઇ સુધીમાં નવા આઇટી(IT) નિયમો અનુસાર તેનો પ્રથમ અનુપાલન રિપોર્ટ સબમિટ કરશે. ટ્વિટરે કહ્યું, “ટ્વિટર નવા આઇટી નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જોકે ટ્વિટર નિયમોની માન્યતા અને અધિકારોને પડકારવાનો અધિકાર અનામત રાખે છે.” ટ્વિટરે સોગંદનામામાં જણાવ્યું છે કે ચીફ કોમ્પલયાન્સ અધિકારી માટે ટ્વિટર દ્વારા ભરતી પણ કરવામાં આવી છે.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું ટ્વિટર જવાબ આપે
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે Twitter દ્વારા ફરિયાદ અધિકારીની નિમણૂકને લઈને 6 જુલાઇના રોજ દિલ્હી હાઈકોર્ટે માઇક્રોબ્લોગિંગ સાઇટ Twitter ને મોટો ઝટકો આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે ટ્વિટર પર ટિપ્પણી કરતાં કહ્યું કે તમારી પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે? જો ટ્વિટર એવું વિચારે છે કે દેશમાં ઈચ્છે તેટલો સમય લઈ શકે છે. તો કોર્ટ આ બાબતની મંજૂરી આપશે નહીં.
આ પણ વાંચો : Gujarat High Court: તાઉ તે વાવાઝોડાને લઈને થયેલા નુકસાનના મુદ્દે પિટિશન, સરકારને તપાસ માટે ત્રણ અઠવાડિયાનો સમય
આ પણ વાંચો : કરફ્યુ વચ્ચે અમદાવાદમાં નિકળશે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા, હાથી-અખાડા-ભજનમંડળી-ટ્રકને મંજૂરી નહી