રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવે કહ્યું – જો વૃક્ષોની ગણતરી થઇ શકે તો OBCની કેમ નહીં?

રાજ્યસભામાં કોંગ્રેસના સભ્ય રાજીવ સાતવે ઓબીસીની વસ્તી ગણતરીમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરકારને તેમણે કહ્યું કે, જો તે પ્રાણીઓ અને ઝાડની ગણતરી કરી શકાય છે તો ઓબીસીની કેમ નહીં?

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવે કહ્યું - જો વૃક્ષોની ગણતરી થઇ શકે તો OBCની કેમ નહીં?
File Image
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 20, 2021 | 3:16 PM

રાજ્યસભામાં કોંગ્રેસના સભ્ય રાજીવ સાતવે શુક્રવારે અન્ય પછાત વર્ગો (OBC) ની વસ્તી ગણતરીમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરકારને ઠપકો આપતા તેમણે કહ્યું કે, જો તે પ્રાણીઓ અને ઝાડની ગણતરી કરી શકાય છે તો ઓબીસીની કેમ નહીં? તે જ સમયે ભાજપના સાંસદ સંજય શેઠે પણ સંસદમાં વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવાની માંગ કરી હતી. તેમણે વધતી વસ્તીના મુદ્દાને દેશ માટે જોખમી ગણાવ્યો હતો. જાહેર છે કે લાંબા સમયથી વસ્તીગણતરીમાં ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગની વસ્તીની ગણતરીનો મુદ્દો ચાલતો આવે છે. આ મુદ્દા અંગે વાત કરતી વખતે કોંગ્રેસ સભ્ય રાજીવ સાતવે સરકાર પર સવાલો ઉભા કર્યા હતા અને ઓબીસી વર્ગોની વસ્તી ગણતરીની માંગ કરી હતી.

લાંબા સમયથી ઓબીસી વસ્તી ગણતરીની માંગ

આ મુદ્દો ઉઠાવતા કોંગ્રેસના રાજીવ સાતવે સરકાર પાસે વહેલી તકે ઓબીસી વસ્તી ગણતરી કરવા માંગ કરી હતી. તેમણે કહ્યું કે, લાંબા સમયથી ઓબીસી વસ્તી ગણતરીની માંગ કરવામાં આવી રહી છે અને ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેએ પણ લોકસભામાં ઘણી વખત આ માંગણી ઉઠાવી હતી.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

તેમણે કહ્યું કે, જ્યારે સરકાર પ્રાણીઓની ગણતરી કરી શકે છે, સરકાર વૃક્ષોની ગણતરી કરી શકે છે, તો પછી સમાજના આ મહત્વપૂર્ણ ઘટક ઓબીસીની ગણતરી કેમ કરી શકતી નથી? 2018 માં સરકારે આ ખાતરી આપી હતી. વર્ષ 2019 માં પણ સરકારે કહ્યું હતું કે, આપણે વસ્તી ગણતરીની દિશામાં જઈ રહ્યા છીએ અને હમણાં જ જોવા મળ્યું છે કે તેમાં ઓબીસી કોલમ દૂર કરવામાં આવી છે.

વધતી જતી વસ્તી ગંભીર સંકટ

શુક્રવારે લોકસભામાં ભાજપના સાંસદ સંજય શેઠે પણ વધતી વસ્તીને દેશની સામે ગંભીર સંકટ ગણાવ્યું હતું. તેમણે કેન્દ્ર સરકારને વસ્તી નિયંત્રણ કાયદો બનાવવા માંગ કરી હતી. ઝીરોઅવર દરમિયાન આ મુદ્દો ઉઠાવતા ભાજપના સાંસદ સંજય શેઠે કહ્યું હતું કે, દેશમાં વધતી વસ્તી એક મોટું સંકટ બની રહી છે. આવી સ્થિતિમાં સરકારે દેશમાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવો જોઈએ.

તેમણે કહ્યું કે, બે બાળકો માટેના માપદંડનો અમલ થવો જોઈએ. જે લોકો આનો ભંગ કરે છે તેમને સરકારી સુવિધા ન મળવી જોઇએ અને ચૂંટણી લડી પણ લડવાની મનાઈ હોવી જોઈએ. આવી જોગવાઈ થવી જોઈએ.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">