“ભગવાન સાથે સેટિંગ છે તો કોરોનાના કેસ કેમ નથી રોકી લેતા”, કોંગ્રેસ નેતાનો કેજરીવાલ પર કટાક્ષ

તાજેતરમાં અરવિંદ કેજરીવાલે પોસ્ટ કર્યું હતું કે જ્યાં સુધી દિલ્હીને પ્રથમ ક્રમે નહીં જોઉં, મને મોત નહીં આવે. આ વાત પર કોંગ્રેસ અધ્યક્ષ અનીલ કુમારે આકરા પ્રહાર કર્યા છે.

ભગવાન સાથે સેટિંગ છે તો કોરોનાના કેસ કેમ નથી રોકી લેતા, કોંગ્રેસ નેતાનો કેજરીવાલ પર કટાક્ષ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 06, 2021 | 10:34 AM

દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અનિલ કુમારે કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે ભગવાન સાથે સેટિંગ છે તો કેજરીવાલ કેમ કોરોના કેસ અટકાવતા નથી. તેઓએ એમ પણ કહ્યું કે કેજરીવાલે માત્ર પોતાના જીવનું જ સેટિંગ કર્યું. કોરોનાથી દિલ્હીમાં થયેલા 12 હજાર મોત માટે સેટિંગ કેમ ના કર્યું.

અનિલ કુમારનું કહેવું છે કે કોરોના મામલે દિલ્હીની સ્થિતિ ખૂબ ગંભીર છે. કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે જ્યાં સુધી તે દિલ્હીને નંબર 1 ન જુએ ત્યાં સુધી તેમણે મોત નહીં આવે. અનીલ કુમારે એમ પણ કહ્યું હતું કે પ્રદૂષણ, સંક્રમણ, ગંદા પાણી અને વિશ્વની સૌથી વધુ ગંદી રાજધાનીના મામલે દિલ્હી નંબર વન બની ગયું છે.

અનીલ કુમારે આગળ કહ્યું કે દિલ્હીનું કાયાકલ્પ સ્વર્ગસ્થ શીલા દીક્ષિતના કાર્યકાળ દરમિયાન થયું હતું. આ કારણોસર, આજે તેને શીલા જીની દિલ્હી કહેવામાં આવે છે. અનિલ કુમારે પીએમ મોદીના નિવેદન પર પણ નિશાન સાધ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ કિસ્મતવાળા છે. તેમણે કહ્યું કે પીએમ મોદી અને કેજરીવાલ લોકોને ગેરમાર્ગે દોરે છે. જમીન પર પરિસ્થિતિ તેનાથી વિરુદ્ધ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અનિલ કુમારે કહ્યું કે કેજરીવાલ ન તો દિલ્હીમાં લોકોને તબીબી સુવિધા પૂરી પાડી શક્યા છે કે ન તો લોકોને કોઈ અન્ય સુવિધા. તેમનો સવાલ હતો કે આ કટોકટીમાં પણ દ્વારકાની હોસ્પિટલ કેમ શરૂ કરવામાં આવી નથી. કન્ટેન્ટ ઝોન વધી રહ્યા છે. લોકોના રોજગાર ઘટી ગયા છે, પરંતુ સરકાર પાસે તેના માટે કોઈ યોજના નથી. આપ સરકારે ન્યાય યોજનાની તર્જ પર લોકોને 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવી જોઈએ.

તેમણે કહ્યું કે, દિલ્હીમાં કોરોના ફાટી નીકળતાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર લોકોની સેવા કરી રહ્યા હતા. કેજરીવાલ માત્ર તેમની પબ્લિસિટી પર પૈસા એકત્ર કરી રહ્યા છે. તેમણે ફક્ત તેના પ્રચાર માટે 356 કરોડ ખર્ચ કર્યા છે. આ માટે તેમને કોર્ટે ઠપકો પણ આપ્યો છે. તેમણે કહ્યું કે કેજરીવાલે ખેડુતોના નામે પણ મગરના આંસુ વહાવી દીધા. પહેલા દિલ્હીમાં ત્રણેય કૃષિ બિલો લાગુ કરાયા હતા અને હવે તેઓ ખેડૂતોને છેતરવાનું કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો: West Bengal Election 2021: TMCના નેતાના ઘરેથી મળ્યા EVM, જાણો ચૂંટણી પંચે શું આપી સફાઈ

આ પણ વાંચો: Assembly Elections 2021: દેશના 5 રાજ્યોમાં આજે ચૂંટણીનો મહાસંગ્રામ, જાણો કયા રાજ્યનું શું છે ગણિત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">