Hemant Soren ની દિલ્હી મુલાકાતથી રાજકીય માહોલ ગરમાયો, નિશિકાંત દુબેની ટ્વિટથી રાજકીય હલચલ
ઝારખંડ(Jharkhand)ના રાજકારણમાં ભાજપના સાંસદ નિશીકાંત દુબેની ટ્વિટ અને મુખ્યમંત્રી હેમંત સોરેન(Hemant Soren)ની દિલ્હી મુલાકાતે રાજકીય અટકળોનું બજાર ગરમાવી દીધું છે.
ઝારખંડ(Jharkhand)ના રાજકારણમાં ભાજપના સાંસદ નિશીકાંત દુબેની ટ્વિટ અને મુખ્યમંત્રી હેમંત સોરેન(Hemant Soren)ની દિલ્હી મુલાકાતે રાજકીય અટકળોનું બજાર ગરમાવી દીધું છે. જ્યારે નિશીકાંત દુબેની ટ્વિટ અને મુખ્યમંત્રી હેમંત સોરેનની દિલ્હી મુલાકાતના કારણે રાજ્યના કેટલાક મંત્રીઓ સહિત કેબિનેટ વિસ્તરણમાં પોતાના માટે મંત્રી મંડળમાં સમાવવાની આશા રાખનારા ધારાસભ્યોની મુશ્કેલી વધી છે. તેમજ કોંગ્રેસની પણ ચિંતા વધી છે.
નવા સાથી સાથે સરકાર રચવા માટે તેમનો જુગાડ તો નથી ને
ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ ઝારખંડ(Jharkhand)ના સીએમ હેમંત સોરેનની દિલ્હી મુલાકાત અંગે ટિ્વટ કર્યું હતું કે, ‘મુખ્યમંત્રી હેમંત સોરેન(Hemant Soren)જી હવે કોંગ્રેસથી પરેશાન છે. શું તેના નવા સાથી સાથે સરકાર રચવા માટે તેમનો જુગાડ તો નથીને ?’ શાસક પક્ષના નેતાઓએ દુબેના આ ટ્વિટ પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી.
मुख्यमंत्री @HemantSorenJMM जी अब @INCIndia से परेशान,दिल्ली दर्शन उनका नए पार्टनर के साथ सरकार बनाने का जुगाड़ तो नहीं?
— Dr Nishikant Dubey (@nishikant_dubey) June 17, 2021
કોંગ્રેસની સાથે-સાથે તમારે ભ્રષ્ટાચારની સરકાર પણ ચલાવવી પડશે
તેના પછી એક બીજી એક ટ્વિટમાં તેમણે સોરેનની ભાજપમાં જોડાવાની સંભાવનાને નકારી હતી અને લખ્યું હતું કે, ‘હેમંત સોરેન જી, ઝારખંડ ભાજપ તમારી યુક્તિ સમજી રહ્યો છે. કોંગ્રેસની સાથે-સાથે તમારે ભ્રષ્ટાચારની સરકાર પણ ચલાવવી પડશે. પરંતુ દબાણ બનાવવા માટે તમે કેટલાક ફોટો સેશન કરવા માંગો છો જેથી તમે કોંગ્રેસનું દબાણ ઓછું કરી શકો. મધુ કોડા ભાગ 2 ઝિંદાબાદ.
કોંગ્રેસમાં આંતરિક ચિંતા
જ્યારે આ સમયે કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની અંદર ચિંતા વધી છે. નેતાઓ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે હેમંત સોરેનની બેઠકના પરિણામ અંગે અટકળો લગાવી રહ્યા છે. ભલે અહીંની સ્થિતિને પંજાબ કે રાજસ્થાનની જેમ ખરાબ ગણાવી નથી પરંતુ તે ચોક્કસપણે કહેવામાં આવી રહ્યું છે કે અંદર બધુ બરાબર નથી.
કોંગ્રેસના ક્વોટામાંથી એક-બે પ્રધાનોને બહારનો રસ્તો બતાડાશે
એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે કેબિનેટ વિસ્તરણમાં કોંગ્રેસના ક્વોટામાંથી એક-બે પ્રધાનોને બહારનો રસ્તો બતાવીને તેમની જગ્યાએ નવા ધારાસભ્યોને રિપ્લેસ કરવામાં આવી શકે છે. પાર્ટીની આગામી રણનીતિ અંગે રાજ્યથી લઈને કેન્દ્રીય નેતૃત્વ સુધીના સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે.