Haryana Trust Vote: BJP-JJP ગઠબંધન સરકારે વિશ્વાસ મત જીત્યો, ખટ્ટર સરકારને કોઈ આંચ નહીં
Haryana Trust Vote: કોંગ્રેસે બુધવારે હરિયાણા વિધાનસભામાં BJP-JJP ગઠબંધન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી. મતદાન પછી હરિયાણાની ખટ્ટર સરકારે વિશ્વાસ મત (Trust Vote) જીતી લીધો છે, એટલે કે ખટ્ટર સરકારને કોઈ આંચ આવી નથી.
Haryana Trust Vote: કોંગ્રેસે બુધવારે હરિયાણા વિધાનસભામાં BJP-JJP ગઠબંધન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી. મતદાન પછી હરિયાણાની ખટ્ટર સરકારે વિશ્વાસ મત (Trust Vote) જીતી લીધો છે, એટલે કે ખટ્ટર સરકારને કોઈ આંચ આવી નથી.
સરકારના પક્ષમાં જરૂર કરતાં 11 મત વધારે પડ્યા ખેડૂત આંદોલનને લઈને હરિયાણામાં BJPની સહયોગી પાર્ટી JJPના ધારાસભ્યો પર અવિશ્વાસ પ્રસ્તાવને ટેકો આપવા દબાણ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં સરકાર માટે મુશ્કેલી ભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ભાજપ-જેજેપી ગઠબંધન સરકારને વિશ્વાસ મત માટે 44 મતોની જરૂર હતી, જેમાં વિશ્વાસ મતની પ્રક્રિયામાં 55 મતો સરકારની તરફેણમાં પડ્યા હતા, જ્યારે 32 મતો સરકારની વિરુદ્ધમાં પડ્યા હતા.
#Haryana Trust Vote : #BJP–#JJP ગઠબંધન સરકારે વિશ્વાસ મત જીત્યો BJP-JJP ગઠબંધન સરકારને 44 મતોની જરૂર હતી, સરકારને 55 મત મળ્યા અને વિરોધમાં 32 મત પડ્યા #TV9News pic.twitter.com/HMlAcOBKyw
— tv9gujarati (@tv9gujarati) March 10, 2021
CM ખટ્ટરે કહ્યું – અવિશ્વાસ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે હરિયાણા વિધાનસભામાં અવિશ્વાસ મતની પ્રક્રિયા પહેલા મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અવિશ્વાસ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે, જો તમને કંઈક ગમતું નથી તો અવિશ્વાસ લાવો. કોંગ્રેસ સંગઠનમાં પણ અવિશ્વાસ જોવા મળી રહ્યો છે. અવિશ્વાસની પદ્ધતિથી કોંગ્રેસને ફાયદો નહીં થાય, વિશ્વાસથી જ ફાયદો થશે. કોંગ્રેસ પાર્ટીમાં પણ અવિશ્વાસ જોવા મળી રહ્યો છે. કેરળમાં કોંગ્રેસ નેતા પીસી ચાકોએ આજે જ પાર્ટી છોડી દીધી. ક્યારેક G-23 હોય છે તો ક્યારેક સુરજેવાલા અને હૂડા વચ્ચે અવિશ્વાસ હોય છે.
આ પણ વાંચો: Gujarat: કોંગ્રેસ યોજશે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા, કાર્યકરોમાં પ્રાણ ફૂંકવાના પ્રયાસ