કોરોનાના કારણે ગુજરાતમાં હાલ નહી યોજાય વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી
કોરોનાને કારણે ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી સપ્ટેમ્બર મહિનામાં નહી યોજાય. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ તબક્કાવાર રાજીનામા આપી દેતા આ બેઠકો ખાલી પડી છે. જો કે કોરોનાને લઈને વહીવટીતંત્ર વ્યસ્ત હોવાથી તેમજ ગુજરાતમાં નિયત સમયે પેટાચૂંટણી યોજાય તો કોરોનાના સંક્રમણનો પણ ભય રહેલો હોવાથી સપ્ટેમ્બરમાં […]
કોરોનાને કારણે ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી સપ્ટેમ્બર મહિનામાં નહી યોજાય. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ તબક્કાવાર રાજીનામા આપી દેતા આ બેઠકો ખાલી પડી છે. જો કે કોરોનાને લઈને વહીવટીતંત્ર વ્યસ્ત હોવાથી તેમજ ગુજરાતમાં નિયત સમયે પેટાચૂંટણી યોજાય તો કોરોનાના સંક્રમણનો પણ ભય રહેલો હોવાથી સપ્ટેમ્બરમાં પેટાચૂંટણી ના યોજવાનો પત્ર ભાજપે કેન્દ્રીય ચૂંટણીપંચને લખ્યો હોવાની વિગત બહાર આવી છે. જેના પગલે, ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી અબડાસા, ધારી, ગઢડા, મોરબી, લિમડી, કરજણ, કપરાડા અને ડાંગ બેઠકની પેટાચૂંટણી સપ્ટેમ્બરમાં નહી યોજાય.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો