ગુલામ નબી આઝાદે કરી પીએમ મોદીની પ્રશંસા, જાણો શું કહ્યું વડાપ્રધાનના સંઘર્ષના દિવસો વિશે
ગુલામ નબી આઝાદે જમ્મુ કાશ્મીરમાં એક સભાનું સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તારીફ કરી હતી. તેમણે નરેન્દ્ર મોદીના સંઘર્ષના દિવસો વિશે વાત કરી હતી.
‘ગ્રુપ -23’ ના નેતાઓમાંના એક ગુલામ નબી આઝાદ પણ સામેલ હતા. જે કોંગ્રેસ પાર્ટીથી નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમજ તાજેતરમાં રાજ્યસભામાંથી તેમણે નિવૃત્તિ લીધી છે. કોંગ્રેસના આ ભૂતપૂર્વ દિગ્ગજ નેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યા છે. પીએમ મોદીને ગ્રાઉન્ડ લીડર તરીકે વર્ણવતા તેમણે કહ્યું છે કે લોકોએ તેમની પાસેથી શીખવું જોઈએ. સફળતાના શિખર પર ગયા પછી પણ પોતાનું મૂળ કઈ રીતે યાદ રાખી શકાય. પીએમ મોદીના નાનપણમાં ચા વેચવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ તેમની વાસ્તવિકતા ક્યારેય છુપાવી નથી.
ગુલામ નબી આઝાદે જમ્મુ કાશ્મીરમાં એક સભાનું સંબોધન કરતાં કહ્યું કે, “ઘણા નેતાઓ ઘણી વસ્તુઓ પસંદ આવે છે. હું પોતે જ ગામમાંથી આવ્યો છું અને તેના પર મને ગર્વ છે. આપણાં પીએમ મોદી પણ એમ છે કે તેઓ ગામના છે. તેઓ કહે છે કે તેઓ વાસણો ઘસતા હતા, ચા વેચતા હતા. વ્યક્તિગત રીતે અમે તેમના વિરોધી છીએ. પરંતુ તેઓ તેમની વાસ્તવિકતા છુપાવતા નથી, અને જો તમે તમારી વાસ્તવિકતાને છુપાવ્યા છો તો મશીનરી જગતમાં જીવી રહ્યા છો.”
નોંધપાત્ર વાત એ છે કે ગુલામ નબી આઝાદની નિવૃત્તિ પર, પીએમ મોદીએ રાજ્યસભામાં તેમની પ્રશંસા કરી હતી. તેમની સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ યાદ કરીને પીએમ ભાવુક પણ થઈ ગયા હતા. પીએમ મોદીએ આઝાદને સલામી પણ આપી હતી. બાદમાં ગુલામ નબી આઝાદ પણ ભાવુક બની ગયા હતા. ગુલામ નબી આઝાદ એ 23 નેતાઓમાંથી એક છે જે સંગઠન ચૂંટણીની માંગને લઈને મોરચો ખોલી ચૂક્યા છે. એક દિવસ પહેલા જ આ નેતાઓએ જમ્મુમાં એક બેઠક યોજી હતી અને કહ્યું હતું કે તેઓ કોંગ્રેસને મજબૂત બનાવવા માંગે છે.