રાજસ્થાન કોંગ્રેસમાં સચિન પાયલટ અને અશોક ગહેલોત વચ્ચે વિવાદ, પુત્રની હારનું ઠીકરું પાયલટ પર ફોડવા માગે છે?
રાજસ્થાનમાં કોંગ્રેસની હાર બાદ આંતરીક વિવાદમાં વધારો થયો છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટના કારણે તેમના પુત્રની લોકસભામાં હાર થઈ છે. અને સચિને આ હારની જવાબદારી લેવી જોઈએ. અશોક ગહેલોતના દિકરા વૈભવ ગહલોત જોધપુર લોકસભા સીટ પરથી ચૂંટણી હાર્યા હતા. તેની સામે ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ શેખાવતે 2.74 લાખના વોટના અંતરથી જીત મેળવી હતી. […]
રાજસ્થાનમાં કોંગ્રેસની હાર બાદ આંતરીક વિવાદમાં વધારો થયો છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટના કારણે તેમના પુત્રની લોકસભામાં હાર થઈ છે. અને સચિને આ હારની જવાબદારી લેવી જોઈએ. અશોક ગહેલોતના દિકરા વૈભવ ગહલોત જોધપુર લોકસભા સીટ પરથી ચૂંટણી હાર્યા હતા. તેની સામે ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ શેખાવતે 2.74 લાખના વોટના અંતરથી જીત મેળવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સચિન પાયલટે અશોક ગહેલોતના નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કર્યો છે. પત્રકારો સાથે વાત કરતા અશોક ગહેલોતને પૂછવામાં આવ્યું કે શું તેમના પુત્રને જોધપુર બેઠક પરથી લડાવવાની સલાહ સચિન પાયલટે આપી હતી. જેના જવાબમાં ગહેલોતે કહ્યું કે એ સચિન પાયલટે કહ્યું હતું કે જો વૈભવ ગહેલોત જોધપુરથી લડશે તો તે મોટા અંતરથી જીત મેળવશે. કારણ કે કોંગ્રેસના 6 ધારાસભ્ય આ લોકસભા બેઠકની વિધાનસભામાંથી જીત મેળવી છે. સાથે કહ્યું કે મારા પુત્રનો ચૂંટણી પ્રચાર પણ શાનદાર હતો. જેથી મને લાગે છે કે સચિન પાયલટે મારા પુત્રની હારની જવાબદારી લેવી જોઈએ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]