ગાંધીનગરઃ કોંગ્રેસના નેતાઓના નિવેદનો પર નીતિન પટેલના પ્રહાર, કોંગ્રેસના નેતાઓ ભ્રમ ન ફેલાવે
નીતિન પટેલ તમે 15 ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં આવો, અમે તમને સીએમ બનાવીશું. આવું નિવેદન કરનારા ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના ધારાસભ્યોને નીતિન પટેલે ચેતવણી આપી છે. નીતિન પટેલે કહ્યું કે તેમના નામનો ઉપયોગ કરીને કોંગ્રેસના નેતાઓ ભ્રમ ફેલાવવાનું બંધ કરી દે. સાથે જ તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે તેઓ ભાજપને વરેલા છે અને મૃત્યું સુધી […]
નીતિન પટેલ તમે 15 ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં આવો, અમે તમને સીએમ બનાવીશું. આવું નિવેદન કરનારા ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના ધારાસભ્યોને નીતિન પટેલે ચેતવણી આપી છે. નીતિન પટેલે કહ્યું કે તેમના નામનો ઉપયોગ કરીને કોંગ્રેસના નેતાઓ ભ્રમ ફેલાવવાનું બંધ કરી દે. સાથે જ તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે તેઓ ભાજપને વરેલા છે અને મૃત્યું સુધી ભાજપમાં જ રહેશે. ભૂતકાળમાં રાજપાએ પણ તેમને હોદ્દાની લાલચો આપી હતી પણ તેમણે રાજપાની ઓફર ઠુકરાવી દીધી હતી અને અત્યારે પણ તેઓ ભાજપ સિવાય બીજા કોઈ પક્ષની કલ્પના નથી કરતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો