ગુજરાતના આ મતદાન મથક પર ફરીથી યોજવામાં આવશે ચૂંટણી, બોગસ વોટિંગને લઈને ચૂંટણી પંચનો નિર્ણય
લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠકના પેટલાદ વિધાનસભાના ધર્મજના એક મતદાન મથક 239 પર ધર્મજનું મતદાન રદ કરવામાં આવ્યું છે. આગામી 12મેના રોજ મતદાન કેન્દ્રમાં ફરી મતદાનનું આયોજન કરવામાં આવશે. બોગસ વોટિંગ થવાની ફરિયાદને કારણે મતદાન કરાયું છે. આણંદની સોજિત્રા વિધાનસભા બેઠક છે ત્યાં ફરીથી મતદાન યોજવાનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો છે. મતદાન મથક પર […]
લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠકના પેટલાદ વિધાનસભાના ધર્મજના એક મતદાન મથક 239 પર ધર્મજનું મતદાન રદ કરવામાં આવ્યું છે. આગામી 12મેના રોજ મતદાન કેન્દ્રમાં ફરી મતદાનનું આયોજન કરવામાં આવશે. બોગસ વોટિંગ થવાની ફરિયાદને કારણે મતદાન કરાયું છે.
આણંદની સોજિત્રા વિધાનસભા બેઠક છે ત્યાં ફરીથી મતદાન યોજવાનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો છે. મતદાન મથક પર 23 એપ્રિલના રોજ થયેલાં મતદાનમાં બોગસ મત પડ્યા હોવાની ફરીયાદો ઉઠી હતી અને તેને લઈને ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે મતદાનની પ્રક્રિયા ફરીથી યોજવામાં આવશે. 23મેના રોજ સમગ્ર ભારતમાં ચૂંટણીના પરિણામો આવવાના છે ત્યારે હવે ટૂંકા ગાળામાં ફરીથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
સોજિત્રા વિધાનસભાની બેઠક પર ધર્મજ ખાતે આશરે 900 જેટલાં મતદારોને ફરીથી મત આપવો પડશે કારણ કે ચૂંટણી પંચે બોગસ વોટિંગની ફરીયાદને સ્વીકારી છે અને ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં આ પહેલા મતદાન મથક પર ચૂંટણી પંચ દ્વારા ફરીથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 900 જેટલાં મતદારો ફરીથી મતદાન 12મી મેના રોજ કરશે.
આ પણ વાંચો: કોંગ્રેસ નેતા અને મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પર જાહેરમાં ફેંકાયું ચંપલ, લોકોએ લગાવ્યા ‘મોદી-મોદી’ના નારા
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]