નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલી વધી, વિવાદીત અપીલને લઈને ચૂંટણી પંચે નોટિસ ફટકારી 24 કલાકમાં માગ્યો જવાબ
ચૂંટણી પંચે નોટિસ ફટકારીને પંજાબમાં કોંગ્રેસ સરકારમાં મંત્રી નવજોત સિહં સિદ્ધુ પાસે જવાબ માગ્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ બિહારના કટિહાર ખાતે એક રેલીમાં વિવાદીત અપીલ કરી હતી. આ પણ વાંચો: નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલી વધી શકે છે!, સિદ્ધુના ભાષણને લઈને માગ્યો ચૂંટણી પંચે રિપોર્ટ, જાણો નવજોત સિંહ સિદ્ધુએ મુસ્લિમ મતદાતાઓને શું કહ્યું હતું? Web […]
ચૂંટણી પંચે નોટિસ ફટકારીને પંજાબમાં કોંગ્રેસ સરકારમાં મંત્રી નવજોત સિહં સિદ્ધુ પાસે જવાબ માગ્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ બિહારના કટિહાર ખાતે એક રેલીમાં વિવાદીત અપીલ કરી હતી.
બિહારના કટિહારમાં કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ એક જાહેરસભાને સંબોધિત કરી હતી અને ત્યાં મુસ્લિમો મતદારોને લઈને એક નિવેદન આપ્યું હતું. બાદમાં ચૂંટણી પંચ હરકતમાં આવ્યું હતું અને આ સભાને લઈને રિપોર્ટસ પણ મંગાવ્યા હતા.
નવજોત સિંહ સિદ્ધુએ મુસ્લિમોને એકજૂટ થઈને કોંગ્રેસને વોટ આપવા પોતાના ભાષણમાં અપીલ કરી હતી અને આ અપીલના લીધે ચૂંટણી પંચે જવાબ માગ્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે તમે અલ્પસંખ્યક હોવા છતાં પણ અહિંયા બહુસંખ્યક છો. જો તમે એકજૂટ રહેશો તો કોંગ્રેસના ઉમેદવારને કોઈપણ નહીં હરાવી શકે. ચૂંટણી પંચે હવે સિદ્ધુને નોટિસ ફટકારીને આ નિવેદન બાબતે 24 કલાકમાં જવાબ આપવા કહ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]