Election 2021 : 6 એપ્રિલે તમિલનાડુ, કેરળ અને પોંડીચેરીમાં વિધાનસભા ચૂંટણી, એક જ તબક્કામાં મતદાન, 2જી મેના દિવસે મતગણતરી
Election 2021 : તમિલનાડુ, કેરળ અને પોંડીચેરી વિધાનસભા ચૂંટણીમાં 6 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન યોજાશે.
Election 2021 : દેશમાં હાલ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે જેમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અને આસામ વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે 6 એપ્રિલે આ બંને રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે અને સાથે જ તમિલનાડુ, કેરળ અને પોંડીચેરી વિધાનસભા ચૂંટણીમાં એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન યોજાશે.
કેરળમાં તમામ 140 બેઠકો પર મતદાન કેરળ વિધાનસભા ચૂંટણી 2021 (kerala Assembly Election 2021)ની વિગતો જોઈએ તો કેરળમાં 140 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં, એટલે કે એક જ દિવસમાં 6 અપ્રિલના રોજ મતદાન યોજાશે. અને 2જી મેના રોજ ચૂંટણી પરિણામ આવશે.
દેશમાં કેરળ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ડાબેરીઓ સત્તામાં છે. ગત ચૂંટણીમાં, ડાબેરી ગઠબંધન એલડીએફએ 140 માંથી 91 બેઠકો જીતીને સરકારની રચના કરી હતી. કેરળમાં એલડીએફને કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફની સાથે અનેક જગ્યાએ ભાજપ તરફથી પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
પોંડીચેરીમાં તમામ 30 બેઠકો પર મતદાન પોંડીચેરી વિધાનસભા ચૂંટણી 2021 (Puducherry Assembly Election 2021)ની સમગ્ર વિગતો જોઈએ તો પોંડીચેરીમાં 30 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં, એટલે કે એક જ દિવસમાં 6 અપ્રિલના રોજ મતદાન યોજાશે. અને 2જી મેના રોજ ચૂંટણી પરિણામ આવશે.
પોંડેચરીની ડીએમકે સાથે જોડાણમાં કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર હતી. વી નારાયણસામી અહીંના મુખ્યમંત્રી હતા. ગત ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધને 30 માંથી 18 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપ અને ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસને 14 બેઠકો મળી હતી. જ્યારે હાલમાં જ કોંગ્રેસે ચાર ધારાસભ્યોએ રાજીનામા આપતા નારાયણસામી સરકારે બહુમતિ ગુમાવી હતી. તેમજ ગુહમાં ફ્લોર ટેસ્ટમાં નિષ્ફળ નીવડી હતી. જેના લીધે તેમને રાજીનામું આપવું પડ્યું હતું.
તમિલનાડુમાં તમામ 234 બેઠકો પર મતદાન તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2021 (Tamilnadu Assembly Election 2021)ની વિગતો જોઈએ તો તમિલનાડુમાં 30 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં, એટલે કે એક જ દિવસમાં 6 અપ્રિલના રોજ મતદાન યોજાશે. અને 2જી મેના રોજ ચૂંટણી પરિણામ આવશે. તમિલનાડુમાં 2021 માં યોજાનારી ચૂંટણી ઘણા દાયકાઓ પછી એકદમ વિશેષ બનવાની છે. કારણ કે આ વખતે ચૂંટણી બે રાજકીય દિગ્ગજો એમ કરુણાનિધિ અને જે. જયલલિતા વિના લડશે. ગત ચૂંટણીમાં, AIADMK એ અહીં 236 માં 136 બેઠકો જીતી હતી. જ્યારે ડીએમકેને 89 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં સુપરસ્ટાર કમલ હાસન પણ મેદાનમાં ઉતરશે.