કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાનો દાવો, ISI પાસેથી ભાજપ અને બજંરગ દળ ફંડ લઈ રહી છે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ તેમના નિવેદનના કારણે ચર્ચામાં રહે છે. દિગ્વિજય સિંહે એક વાર ફરી ભાજપ અને બજંરગ દળ પર મોટું નિવેદન આપ્યુ છે. દિગ્વિજય સિંહે કહ્યું કે મુસ્લિમ સમુદાયથી વધારે અન્ય લોકો ISI માટે જાસૂસી કરી રહ્યા છે. તેની સાથે દિગ્વિજય સિંહે ભાજપ અને બજરંગ દળ પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પાસેથી પૈસા લેવાનો […]
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ તેમના નિવેદનના કારણે ચર્ચામાં રહે છે. દિગ્વિજય સિંહે એક વાર ફરી ભાજપ અને બજંરગ દળ પર મોટું નિવેદન આપ્યુ છે. દિગ્વિજય સિંહે કહ્યું કે મુસ્લિમ સમુદાયથી વધારે અન્ય લોકો ISI માટે જાસૂસી કરી રહ્યા છે. તેની સાથે દિગ્વિજય સિંહે ભાજપ અને બજરંગ દળ પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પાસેથી પૈસા લેવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે મુસ્લિમ સમુદાય ઓછો પણ અન્ય લોકો વધારે જાસૂસી કરી રહ્યા છે. તેમને બજરંગ દળ અને ભાજપ પર ISI પાસેથી પૈસા લેવાનો પણ આરોપ લગાવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેમને કહ્યું કે બજરંગ દળ અને ભાજપ ISI પાસેથી પૈસા લઈ રહ્યા છે. દિગ્વિજય સિંહે દેશની ખરાબ અર્થવ્યવસ્થાને લઈને મોદી સરકાર પર હુમલો કર્યો છે. તેમને કહ્યું કે મોદી સરકારમાં અર્થવ્યવસ્થા બગડી રહી છે. નોકરીઓ નથી, મોદી સરકારે તમામ વાતો છોડીને અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવુ જોઈએ.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ દિગ્વિજય સિંહે પુલવામા હુમલાને ગુપ્તચર એજન્સીઓની મોટી ભૂલ ગણાવી હતી. દિગ્વિજયસિંહે કહ્યું હતું કે જો કોઈ બીજો દેશ હોત તો વડાપ્રધાન તો નહી પણ ગૃહમંત્રીને રાજીનામું આપવા પર મજબૂર કરી દેવામાં આવતા પણ જે કોઈ પણ આ મુદ્દા પર પ્રશ્ન કરે છે તો તેને દેશદ્રોહી જાહેર કરી દેવામાં આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]