દિલ્હીના સીએમ કેજરીવાલની મોટી જાહેરાત, કમાતા સભ્યના કોરોનાથી નિધન પર પરિવારને મદદ કરશે સરકાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું કે દિલ્હી સરકાર કોરોનાને કારણે કમાતા સભ્યોને ગુમાવેલા પરિવારોને આર્થિક સહાય પૂરી પાડશે અને રોગચાળાને લીધે અનાથ બાળકોના શિક્ષણ અને ઉછેરનો ખર્ચ પણ ઉઠાવશે.

દિલ્હીના સીએમ કેજરીવાલની મોટી જાહેરાત, કમાતા સભ્યના કોરોનાથી નિધન પર પરિવારને મદદ કરશે સરકાર
દિલ્હીના સીએમ કેજરીવાલની મોટી જાહેરાત
Follow Us:
| Updated on: May 14, 2021 | 7:45 PM

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ Kejriwal એ  શુક્રવારે કહ્યું હતું કે દિલ્હી સરકાર કોરોનાને કારણે કમાતા સભ્યોને ગુમાવેલા પરિવારોને આર્થિક સહાય પૂરી પાડશે અને રોગચાળાને લીધે અનાથ બાળકોના શિક્ષણ અને ઉછેરનો ખર્ચ પણ ઉઠાવશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ Kejriwal એ  પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોરોના વાયરસ સામેની લડત પૂરી નથી થઈ અને તેને ધીમી પાડવાનો કોઈ અવકાશ નથી. તેમણે કહ્યું કે મને ખબર છે કે ઘણા બાળકોએ તેમના માતાપિતાને ગુમાવ્યા છે. હું તેમને કહેવા માંગુ છું કે હું તેમના માટે ઉપલબ્ધ છું. પોતાને અનાથ ન માનશો. સરકાર તેમના શિક્ષણ ખર્ચ અને અન્ય ખર્ચ ઉઠાવશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે હું જાણું છું કે વૃદ્ધ નાગરિકોએ તેમના બાળકો ગુમાવ્યા છે. તેઓ તેમની કમાણી પર આધારિત હતા. હું તેમને કહેવા માંગુ છું કે તેમનો પુત્ર કેજરીવાલ જીવતો છે. કમાતા સભ્ય ગુમાવનારા આવા તમામ પરિવારોને સરકાર મદદ કરશે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Kejriwal એ  એમ પણ કહ્યું કે દિલ્હીમાં ચેપનું પ્રમાણ 12 ટકા પર આવી ગયું છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,500 કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 દિવસમાં કોરોના વાયરસના દર્દીઓ માટે લગભગ 3,000 બેડ ઉપલબ્ધ થયા છે. જો કે હજુ પણ આઇસીયુ બેડ લગભગ ભરાયેલા છે. તેમણે કહ્યું કે અમે તે વધારવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. આશરે 1,200 જેટલા વધુ આઈસીયુ બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને ઓક્સિજન સિલિન્ડર ખરીદવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આપણે ચેપના કેસો શૂન્ય પર લઈ જવાના છે. અમે તેના લીધે આરામ કરી શકતા નથી આપણે લોકડાઉનને સખત રીતે અનુસરવું પડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">