COVID -19 : બિસ્કિટ વિતરણમાં ભાજપના નેતાઓએ માસ્ક પેહર્યા પણ બાળકોની સલામતી વિસર્યા
ભરૂચ બીજેપી દ્વારા પૂર્વ પી.એમ.અટલ બિહારી વાજપેઈની જન્મ જયંતિ નિમિત્તે બાળકોને બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જો કે COVID -19 મહામારીના કહેર છતાં આયોજિત કાર્યક્રમમાં બોલાવાયેલા બાળકોને માસ્ક પણ પહેરાવાયા ન હતા તો સોશ્યલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો આજે પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેઈની જન્મ જયંતિની ભાજપ દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં […]
ભરૂચ બીજેપી દ્વારા પૂર્વ પી.એમ.અટલ બિહારી વાજપેઈની જન્મ જયંતિ નિમિત્તે બાળકોને બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જો કે COVID -19 મહામારીના કહેર છતાં આયોજિત કાર્યક્રમમાં બોલાવાયેલા બાળકોને માસ્ક પણ પહેરાવાયા ન હતા તો સોશ્યલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો
આજે પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેઈની જન્મ જયંતિની ભાજપ દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે અને ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે
ભરૂચ ભાજપ દ્વારા પણ સેવા કાર્યના ભાગરૂપે ગરીબ બાળકોને બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના આગેવાનો દ્વારા ગરીબ બાળકોને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.કોરોના કાળમાં યોજાયેલ કાર્યક્રમમાં ભાજપના આગેવાનોની બેદરકારી જોવા મળી હતી.બિસ્કિટ આપવા માટે બોલાવાયેલા બાળકોને માસ્ક પણ પહેરાવવામાં આવ્યા ન હતા તો બાળકો વચ્ચે દો ગજની દુરી દૂર દૂર સુધી નજરે ચઢી ન હતી.
પૂર્વ પી.એમ.અટલ બિહારી વાજપેઈની જન્મ જયંતિ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં કોરોનાની ગાઈડ લાઇનનું પાલન થયું ન હતું ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનનો ઉપસ્થિત રહયા હતા.તમામ નેતાઓએ તો માસ્ક પહેરી કોરોનાથી તેમની રક્ષા કરી લીધી હતી પરંતુ બાળકોને માસ્ક પહેરાવવાનું તેઓએ ઉચિત સમજ્યું ન હતું.