કોંગ્રેસ નેતાએ કર્યા બાબા બૈજનાથના દર્શન, ભાજપ નેતાએ કહ્યું અહી ગૈર હિન્દુઓને આવવા પર છે પ્રતિબંધ
ઝારખંડ (Jharkhand) ના મધુપુરમાં પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પક્ષ-વિપક્ષ આમને સામને આવી રહ્યા છે અને બંને વચ્ચે વાક યુદ્ધો જમ્યા છે.
દેશભરમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને બીજી બાજુ કેટલાય રાજ્યોમાં ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ યોજાઇ રહી છે. અહિંયા ઝારખંડ (Jharkhand) ના મધુપુરમાં પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પક્ષ-વિપક્ષ આમને સામને આવી રહ્યા છે અને બંને વચ્ચે વાક યુદ્ધો જમ્યા છે.
બુધવારે જામતારાના કોંગ્રેસના ધારાસભ્ય ઇરફાન અન્સારી (Congress MLA Irfan Ansari) એ બાબા બૈજનાથ મંદિર (Baidyanath Dham temple at Deoghar) માં પ્રાર્થના કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ઇરફાન અન્સારી મંદિરમાં પૂજા કરતાની તસવીર દેખાતાની સાથે જ ત્યાં હંગામો થયો હતો. ગોડ્ડાના સાંસદ નિશીકાંત દુબે (BJP MP Nishikant Dubey) એ ઇરફાન અન્સારી પર જોરદાર હુમલો કર્યો હતો. અને વિવાદિત નિવેદન આપ્યું હતું.
Jharkhand | Entry of non-Hindus is not allowed in Baidyanath Dham temple at Deoghar. But Congress MLA Irfan Ansari entered the temple. I’ve spoken to chief secretary, demanding suspension of DC&SP. I’ve also demanded that Ansari be booked under NSA: BJP MP Nishikant Dubey (15.04) pic.twitter.com/jynGXi3Cki
— ANI (@ANI) April 16, 2021
દુબેએ પ્રેસને કહ્યું કે, જે રીતે બિન-મુસ્લિમ કાબામાં પ્રવેશ કરી શકશે નહીં, તે જ રીતે ગેર હિન્દુ બાબા બૈજનાથ મંદિરમાં પ્રવેશી શકશે નહીં. નિશીકાંત દુબેએ ઇરફાન અન્સારીના બાબા બેજનાથના જવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે ઝારખંડના મુખ્ય સચિવ સાથે વાત કર્યા પછી, હું જિલ્લાના ડેપ્યુટી કમિશનર અને એસપીની બરતરફી સાથે કાર્યવાહીની માંગ કરીશ.
નિશીકાંત દુબેએ ધારાસભ્ય ઉપર રાસુકા લાદવાની માંગ કરી છે. જ્યારે પૂજા મંદિરની બહાર આવી ત્યારે ઇરફાન અન્સારીને આ વિશે સવાલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેણે નિશીકાંત દુબેને ઉપર પલટવાર કર્યો હતો અને કહ્યું હતું કે તેનું માનસિક સંતુલન ચોક્કસપણે બગડ્યું છે, જેની હું સારવાર કરી શકું છું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, નિશીકાંત અહીં રહે તો પરસ્પર સંવાદિતા બગડશે. બાબા મંદિરમાં પ્રવેશતાં જ ઇરફાન અન્સારીએ કહ્યું કે હું નાનપણથી જ મંદિરની મુલાકાત લેવા જઉ છું અને બાબા ભોલેના આશીર્વાદ મારી સાથે છે. તેણે કહ્યું કે નિશીકાંત કોણ છે,જે મને બાબાથી અલગ કરી શકે.