નાગરિકતા સુધારા કાયદો લાગૂ કરવાથી કોઈ રાજ્ય ઈનકાર ના કરી શકે: કપિલ સિબ્બલ
કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે શનિવારે કહ્યું કે નાગરિકતા સુધારા કાયદો હવે સંસદમાંથી પાસ થઈ ચૂક્યો છે. ત્યારે રાજ્યોની પાસે તેને લાગૂ ન કરવાનો કોઈ અધિકાર નથી. તેમને વધુમાં કહ્યું કે કાયદાનો અસ્વીકાર કરવો ‘ગેરબંધારણીય’ હશે. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, […]
કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે શનિવારે કહ્યું કે નાગરિકતા સુધારા કાયદો હવે સંસદમાંથી પાસ થઈ ચૂક્યો છે. ત્યારે રાજ્યોની પાસે તેને લાગૂ ન કરવાનો કોઈ અધિકાર નથી. તેમને વધુમાં કહ્યું કે કાયદાનો અસ્વીકાર કરવો ‘ગેરબંધારણીય’ હશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કપિલ સિબ્બલે કહ્યું નાગરિકતા સુધારા કાયદો પાસ થઈ ગયા પછી કોઈ રાજ્ય એ કહી શક્તુ નથી કે તે તેને લાગૂ નહીં કરે. આ સંભવ નથી અને ગેરબંધારણીય છે. તમે તેનો વિરોધ કરી શકો છો, વિધાનસભામાં એક પ્રસ્તાવ પસાર કરી શકો છો અને કેન્દ્ર સરકારને આ કાયદો પાછો લેવા માટે કહી શકો છો. કપિલ સિબ્બલે કેરળ લિટ્રેચર ફેસ્ટિવલમાં આ વાત કરી હતી.
તેમને કહ્યું કે બંધારણીય રીતે એ કહેવું કે હું તેને લાગૂ નહીં કરૂ, તે ખુબ જ સમસ્યા પેદા કરી શકે છે અને મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં નાગરિકતા કાયદાનો ખુબ વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી પણ આ કાયદાનો વિરોધ કરી રહી છે. કેરળ અને પશ્ચિમ બંગાળની સરકારે આ કાયદાના વિરોધમાં કહ્યું છે કે તે તેમના રાજ્યમાં આ કાયદો લાગૂ નહીં કરે. ત્યારે આ સ્થિતીમાં કપિલ સિબ્બલનું આ નિવેદન ખૂબ મહત્વનું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે ‘કરો યા મરો’નો મુકાબલો, બેંગ્લોરમાં 1.30 વાગ્યે શરૂ થશે મેચ
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]