Rafale ડીલ પર કોંગ્રેસ ફરી આક્રમક, રાહુલ ગાંધીએ પૂછ્યો આ વેધક સવાલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ અંગે એક પોલ શરૂ કર્યો. જેમાં તેમણે લોકોને સંભવિત જવાબો વિશે પૂછ્યું. ચાર વિકલ્પો આપવામાં આવ્યા છે જેમાં યુઝર્સ પોતાનો મત આપી શકે છે
રાફેલ(Rafale) સોદામાં કથિત ભ્રષ્ટાચાર અંગે વિપક્ષ કોંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી( Rahul Gandhi ) એ ટ્વીટ કરીને પૂછ્યું છે કે મોદી સરકાર જેપીસી તપાસ માટે કેમ તૈયાર નથી ? જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે જ્યારે તેમને ઉદ્યોગપતિ મિત્રોના ખિસ્સા ભરવાના હોય છે ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા તેમના માટે બહાનું બની જાય છે. આ અગાઉ કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ શનિવારે રાફેલ સોદાની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા તપાસની પણ માંગ કરી હતી.
રાહુલ ગાંધીએ પણ નિશાન સાધ્યું
કોંગ્રેસ નેતા ( Rahul Gandhi )એ આ અંગે એક પોલ શરૂ કર્યો. જેમાં તેમણે લોકોને સંભવિત જવાબો વિશે પૂછ્યું. ચાર વિકલ્પો આપવામાં આવ્યા છે. જેમાં યુઝર્સ પોતાનો મત આપી શકે છે, જેમ કે 1. ગિલ્ટ કોનસાઇન્સ(guilt conscience) 2. મિત્રોને બચાવવાનો પ્રયાસ છે 3 .જેપીસીને આરએસ બેઠક નથી જોઇતી 4. ઉપરોક્ત તમામ
JPC जाँच के लिए मोदी सरकार तैयार क्यों नहीं है?
— Rahul Gandhi (@RahulGandhi) July 4, 2021
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે આઝાદી બાદ તમામ કેન્દ્ર સરકારો રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર મુદ્દો માને છે અને તેની પર રાજકારણ કરવાનું ટાળે છે. પરંતુ જ્યારે મોદી સરકારે પોતાના ઉદ્યોગપતિ મિત્રોના ખિસ્સા ભરવાના હોય છે ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા એક નારો બની જાય છે. તેમણે કહ્યું કે 24 કલાક પછી પણ ભાજપ શા માટે મૌન છે ?
મૌનનો પડઘો દુનિયાભરમાં સંભળાય છે
પ્રવક્તા પવન ખેરા એ કહ્યું કે હજી સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. રાફેલ શું હતું? તે આંતર-સરકારી સોદો હતો ? ફ્રાન્સે આ અંગે તપાસ શરૂ કરી છે. તપાસને એક બાજુ મૂકી દો ભારત સરકારે એક પણ ટિપ્પણી કરી નથી. અને આ સરકાર છે જે ફક્ત વાતો કરવા માટે જાણીતી છે. વડા પ્રધાન, સંરક્ષણ પ્રધાન અને અન્ય મંત્રીમંડળના સભ્યો આ મુદ્દે મૌન છે. પરંતુ આ મૌનનો પડઘો દુનિયાભરમાં સંભળાય છે.
તેમણે કેટલાક દસ્તાવેજો રજૂ કર્યા અને કહ્યું કે ભારત તરફથી ડીલ કરનારા દ્વારા સોદા માટે નક્કી કરવામાં આવેલી રકમમાં ભારે વધારો થયો હતો અને ભ્રષ્ટાચારની કલમ રહસ્યમય રીતે ગાયબ થઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તપાસના આદેશ આપવા જોઈએ અને ડીલ અંગે સ્પષ્ટતા પણ કરવી જોઈએ.
આ અગાઉ કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ શનિવારે રાફેલ સોદાની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા તપાસની માંગ કરી હતી. તેમજ કોંગ્રેસએ કહ્યું હતું કે આ મામલો આગામી સંસદ સત્રમાં પણ ઉઠાવવામાં આવશે. કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ફ્રાન્સમાં રાફેલ ડીલની તપાસ અને આ મામલે તાજેતરના ખુલાસામાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી સાચા સાબિત થયા છે.
આ પણ વાંચો : Philippines: એરફોર્સનું સી-130 વિમાન થયું ક્રેશ, 17 લોકોના મોત 40નો થયો બચાવ
આ પણ વાંચો : Uttarakhand : પુષ્કરસિંહ ધામીને સીએમ બનાવવા પર ભાજપમાં આંતરિક વિવાદ, જાણો સમગ્ર વિગતો