મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના દેવા માફીનું વચન કર્યું પૂર્ણ!
મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બન્યા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના દેવા માફીનું વચન આપ્યું તે પૂર્ણ કર્યું છે. ખેડૂતોની દેવા માફીની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થયાની થોડી જ ક્ષણોમાં સરકારે આ યાદી બહાર પાડી. યાદી જાહેર કરતી વખતે સરકારે દરેક જિલ્લાના બે ગામનો સમાવેશ કર્યો છે. પ્રથમ યાદીમાં 68 ગામના […]
મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બન્યા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના દેવા માફીનું વચન આપ્યું તે પૂર્ણ કર્યું છે. ખેડૂતોની દેવા માફીની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થયાની થોડી જ ક્ષણોમાં સરકારે આ યાદી બહાર પાડી. યાદી જાહેર કરતી વખતે સરકારે દરેક જિલ્લાના બે ગામનો સમાવેશ કર્યો છે. પ્રથમ યાદીમાં 68 ગામના 15 હજાર 358 લાભાર્થીઓના નામ છે. દેવા માફી બાદ ખેડૂતોને તેનું પ્રમાણ પત્ર પણ આપવામાં આવશે. જિલ્લા સ્તરે દેવા માફીનો અમલ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
તો આ તરફ ભાજપ નેતા આશિષ શેલારે દેવા માફી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગઠબંધન સરકારે લોકોને ફસાવવાનું કામ કર્યું છે. આ સરકાર પર ખેડૂતોને કે અમને કોઇ જ ભરોસો નથી તેવું આશીષ શેલારે કહ્યું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો