કેન્દ્રમાં નીતિશ કુમારની પાર્ટીના એક પણ સાંસદને મંત્રી ન બનાવ્યા બાદ બિહારમાં 11 પ્રધાનો લઈ શકે છે શપથ
બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર આજે પોતાના રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર અને વધારો કરશે. માહિતી મુજબ શ્યામ રજક, નરેન્દ્ર નારાયણ યાદવ, નીરજ કુમાર, સંજય ઝા, રંજૂ ગીતા, અશોક ચૌધરીનો સમાવેશ થઈ શકે છે. આ સિવાય નવા ચહેરાઓ પણ મંત્રીમંડળમાં જોડાઈ શકે છે. નવા ધારાસભ્યોની આજે રાજ્યપાલ દ્વારા શપથવિધિ થશે. આ પણ વાંચોઃ IAS અધિકારીએ ટ્વિટ કરીને ગોડસેનો […]
બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર આજે પોતાના રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર અને વધારો કરશે. માહિતી મુજબ શ્યામ રજક, નરેન્દ્ર નારાયણ યાદવ, નીરજ કુમાર, સંજય ઝા, રંજૂ ગીતા, અશોક ચૌધરીનો સમાવેશ થઈ શકે છે. આ સિવાય નવા ચહેરાઓ પણ મંત્રીમંડળમાં જોડાઈ શકે છે. નવા ધારાસભ્યોની આજે રાજ્યપાલ દ્વારા શપથવિધિ થશે.
CM નીતિશ કુમારે રાજ્યપાલ સાથે મુલાકાત અને મંત્રીમંડળના વિસ્તરણની રજૂઆત કરી હતી. નીતિશ કુમારની કેબિનેટમાં 11 મંત્રીઓના પદ ખાલી છે. બિહારમાં વિધાનસભાની કુલ 243 બેઠક છે. જેમાં મુખ્યમંત્રી સહિત કુલ 36 મંત્રી બનાવી શકવાનો નિયમ છે. તો હાલમાં કેબિનટમાં 25 મંત્રીઓ કાર્યકર છે જ્યારે 11 મંત્રીની નિમણૂક આજે થઈ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
લોકસભા ચૂંટણી દરમિયાન બિહર સરકારમાં મત્રી લલ્લનસિંહ અને દિનેશ યાદવ સાંસદ તરીકે ચૂંટઈ આવતા તેમનું પદ ખાલી થઈ ચૂક્યું છે. તો બીજી તરફ નીતિશ કુમાર બિહારનું જાતિગત સમીકરણ સાધવાની કોશિશમાં છે. નીરજ કુમાર ભૂમિહાર સમાજમાંથી આવે છે. રંજૂ ગીતાને મહિલા કોટામાંથી મંત્રી બનાવી શકે છે અને તે યાદવ સમાજમાંથી પોતાનું નેતૃત્વ કરે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]