મુખ્યમંત્રીએ મીડિયાને આપી ચેતવણી, જાહેરાત જોઈએ છે તો અમારા સમાચાર બતાવો
રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારનું એક વર્ષ પુરૂ થવા પર મુખ્યપ્રધાન અશોક ગહેલોતે પત્રકાર પરિષદ યોજી હતી. તે દરમિયાન મુખ્યપ્રધાન અશોક ગહેલોતે તેમની સરકારની સિદ્ધીઓ જણાવવાની જગ્યાએ લગભગ 2 કલાકમાંથી 1 કલાક સુધી વડાપ્રધાન મોદી અને મીડિયા પર બોલતા નજરે આવ્યા. મુખ્યપ્રધાન અશોક ગહેલોતે કહ્યું કે અમે એ ચેનલોને પૈસા આપીશું, જે અમારા સમાચાર બતાવશે. એવું ના […]
રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારનું એક વર્ષ પુરૂ થવા પર મુખ્યપ્રધાન અશોક ગહેલોતે પત્રકાર પરિષદ યોજી હતી. તે દરમિયાન મુખ્યપ્રધાન અશોક ગહેલોતે તેમની સરકારની સિદ્ધીઓ જણાવવાની જગ્યાએ લગભગ 2 કલાકમાંથી 1 કલાક સુધી વડાપ્રધાન મોદી અને મીડિયા પર બોલતા નજરે આવ્યા.
મુખ્યપ્રધાન અશોક ગહેલોતે કહ્યું કે અમે એ ચેનલોને પૈસા આપીશું, જે અમારા સમાચાર બતાવશે. એવું ના થવું જોઈએ કે અમારા મંત્રી તમારા સમાચાર માટે ફોન કરતાં રહે કે અમારા સમાચાર બતાવી દો અને અમે તમને પૈસા પણ ચૂકવીએ. વિચારાધારાથી પ્રેરિત થઈ તમે ઘણા લોકોના સમાચાર બતાવો છો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
CM અશોક ગહેલોતે મીડિયાને ચેતવણી આપતાં કહ્યું કે એજન્ડા હેઠળ સમાચાર બતાવનારી ચેનલોમાં એડ (જાહેરાત) માટે પૈસા નહીં આપીએ. મુખ્યપ્રધાન અશોક ગહેલોતે કહ્યું કે તમે સમાચાર બતાવો, મારી આલોચના કરો પણ સમાચારને તોડી મરોડીને અને એજન્ડા હેઠળ સમાચાર બતાવશો તો સરકાર પૈસા નહીં આપે.
કેન્દ્ર સરકાર પર લગાવ્યો આરોપ
CM અશોક ગહેલોતે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકારે મીડિયા પર દબાણ બનાવી રાખ્યુ્ં છે, પત્રકાર સમાચાર બનાવવા ઈચ્છે છે પણ ઉપર બેઠેલા લોકો સમાચાર બનાવવા દેતા નથી. ગહેલોતે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી દીધો કે કેન્દ્ર સરકારે છેલ્લા 1 વર્ષની મારા તમામ ભાષાઓના અને મીડિયામાં આપેલા ઈન્ટરવ્યૂની ટેપ દિલ્હી મગાવી છે, જ્યાં તેને સાંભળવામાં આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
CM અશોક ગહેલોતે કહ્યું કે અમારી સરકાર નિરોગી રાજસ્થાન થીમ પર કામ કરશે. CMએ અશોક ગહેલોતે તેમના તમામ મંત્રીઓને 10માંથી 10 નંબર આપી દીધા. ત્યારે CMએ જામિયા યૂનિવર્સિટીમાં થયેલા લાઠીચાર્જની નિંદા કરતાં કહ્યું કે આ લોકો આર્થિક સ્થિતીથી લોકોનું ધ્યાન હટાવવા માટે દેશને અરાજકતા તરફ ધકેલી રહ્યા છે. ત્યારે ઈલેક્ટ્રોલ બોન્ડ પર બોલતાં CMએ કહ્યું કે એક ખુબ જ મોટું કૌભાંડ છે. નાગરિકતા બિલને ખોટું લાવ્યા છે, ધર્મના નામ પર બિલ લાવવુ ખોટું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]