ગુજરાતમાં થયેલું પરિવર્તન રાજનીતિની નવી ફિલોસોફી : ભૂપેન્દ્ર યાદવ

ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કહ્યુ કે આ ભારતીય રાજનીતિનો નવો પ્રયોગ છે. નવા નેતૃત્વનો ઉદય છે.

ગુજરાતમાં થયેલું પરિવર્તન રાજનીતિની નવી ફિલોસોફી : ભૂપેન્દ્ર યાદવ
Change in Gujarat New Philosophy of Politics Said Bhupendra Yadav (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 1:11 PM

ગુજરાતમાં(Gujarat)  સરકારના સંપૂર્ણ મંત્રીમંડળને( Cabinet) બદલવાનો નિર્ણય  ભાજપની (BJP)  કેન્દ્ર અને રાજ્ય નેતાગીરીનો સામૂહિક નિર્ણય હતો. જેના થકી નવા નેતાગીરીને આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બાબત કેન્દ્રીય મંત્રી અને ભાજપના મહામંત્રી ભૂપેન્દ્ર યાદવે(Bhupendra Yadav)  એક સમાચાર પત્રના કાર્યક્રમમાં કહી હતી.

ભારતીય રાજનીતિની નવી ફિલોસોફી

ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કહ્યુ કે  જેમાં નવા નેતાઓ સરકારને સંભાળશે અને સિનિયર નેતાઓ ગુજરાત વિધાનસભાની આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચુંટણી પૂર્વે પક્ષના સંગઠનમાં કામ કરશે. આ પ્રયોગને ભારતીય રાજનીતિની નવી ફિલોસોફી ગણાવતા તેમણે કહ્યું કે આ અન્ય પક્ષો માટે પણ એક મોડેલ છે અને તેનાથી લોકતંત્ર વધુ મજબૂત બનશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ક્રાઇસીસ મેનેજમેન્ટ અને કેપીસીટી બિલ્ડિંગ પણ વધશે

તેમણે કહ્યું કે આ પરિવર્તનને અલગ દ્રષ્ટિકોણથી પણ જોવાની જરૂર છે. જેના લીધે વિધાનસભા ક્ષેત્રની અસ્થિરતા ઓછી થશે. તેનાથી ક્રાઇસીસ મેનેજમેન્ટ અને કેપીસીટી બિલ્ડિંગ પણ વધશે અને તેમજ તેમના ઉદેશમાં પણ બદલાવ આવશે. દેશમાં અનેક ચુંટણીઓ જોઇ ચૂકેલા સિનિયર નેતાએ જણાવ્યું કે પક્ષમાં કોઇ પણ પદ મેળવવા માટે 75 વર્ષથી વધારેની ઉંમરને ધ્યાનમાં રાખવી અને તેમના કુટુંબના સભ્યને તેની બદલે પોસ્ટ આપવી એ બધુ આ પ્રયોગનો એક ભાગ છે. તેમજ દરેક પક્ષ આ પ્રકારના નિયમો સમયાંતરે બદલે છે.

ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે એ આક્ષેપને રદિયો આપ્યો હતો કે કોરોનાની બીજી લહેરના સરકારના ગેરવહીવટના લીધે ઉભા થયેલા આક્રોશ અને વિરોધને ખાળવા માટે આ પરિવર્તન કરવામાં આવ્યું છે.

વડા પ્રધાન રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા અને પ્રાદેશિક આકાંક્ષામાં વિશ્વાસ રાખે છે

મોદી સરકાર પર વારંવાર કેન્દ્રમાં સત્તાને એકીકૃત કરવાનો આરોપ લાગ્યો હતો. જેમાં પક્ષના પ્રાદેશિક નેતાઓનો પણ સાઈડ લાઇન કરવાનો સમાવેશ થાય છે. જેના જવાબમાં યાદવે કહ્યું હતું કે વડા પ્રધાન રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા અને પ્રાદેશિક આકાંક્ષા માં વિશ્વાસ રાખે છે.

ભાજપની સહયોગી એનપીપીના સંદર્ભમાં બોલતા તેમણે કહ્યું કે કોનરાડ સંગમાના નેતૃત્વમાં આગામી મણિપુર ચૂંટણીમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદી પ્રાદેશિક શક્તિઓ અને નેતૃત્વને મજબૂત કરવામાં વિશ્વાસ રાખે છે.

ગુજરાતમાં લાંબા સમયથી સત્તામાં છીએ

ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગુજરાતના કરેલા નવા પ્રયોગને પંજાબમાં કોંગ્રેસે કરેલા નેતૃત્વ પરિવર્તનને અલગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં વર્ષ 1977 થી 1990 સુધી બિહારમાં દર આઠ-નવ મહિનામાં મુખ્યમંત્રી બદલાયા છે.

પરંતુ અમારો બદલાવ અલગ છે. અમે ગુજરાતમાં લાંબા સમયથી સત્તામાં છીએ, તેથી કેટલાક વરિષ્ઠ નેતાઓ લાંબા સમયથી મંત્રી હતા. તેઓએ નવા ચહેરાઓને તક આપવાનું નક્કી કર્યું. સમગ્ર મંત્રી મંડળે પક્ષ માટે કામ કરવાનું અને સરકારમાં નવા ચહેરાઓ સાથે ચૂંટણીમાં જવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો : Zojila Tunnel : એશિયાની સૌથી લાંબી ટનલ, સામાન્ય લોકો સાથે આર્મી માટે પણ સુવિધાજનક, જાણો તેની ખાસ વાતો

આ પણ વાંચો: કિસાન યુનિયનના ભારત બંધના નિર્ણય પર ઉઠ્યા સવાલો, જાણો કેવી રીતે થયું અર્થવ્યવસ્થાને નુક્સાન

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">