લેંડર વિક્રમ સાથેનો સંપર્ક ગુમાવવા અંગે સોનિયા ગાંધીનું નિવેદન, ચંદ્રયાન 2 ની યાત્રા થોડી લાંબી હતી, પરંતુ…

ચંદ્રયાન -2 લેંડર ‘વિક્રમ’ ચંદ્ર પર ઉતરતી વખતે ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક ગુમાવ્યા બાદ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે કહ્યું હતું કે પ્રવાસ થોડો લાંબો ચાલ્યો છે, પરંતુ આવનારા સમયે તે ચોક્કસપણે સફળ થશે. સોનિયાએ એક નિવેદનમાં ઈસરોના વૈજ્ઞાનિકોના નોંધપાત્ર પ્રયત્નોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, અમે ઈસરો અને તેના પુરુષો અને મહિલાઓનાં ઋણી છીએ. […]

લેંડર વિક્રમ સાથેનો સંપર્ક ગુમાવવા અંગે સોનિયા ગાંધીનું  નિવેદન, ચંદ્રયાન 2 ની યાત્રા થોડી લાંબી હતી, પરંતુ...
Follow Us:
| Updated on: Sep 07, 2019 | 9:16 AM

ચંદ્રયાન -2 લેંડર ‘વિક્રમ’ ચંદ્ર પર ઉતરતી વખતે ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક ગુમાવ્યા બાદ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે કહ્યું હતું કે પ્રવાસ થોડો લાંબો ચાલ્યો છે, પરંતુ આવનારા સમયે તે ચોક્કસપણે સફળ થશે. સોનિયાએ એક નિવેદનમાં ઈસરોના વૈજ્ઞાનિકોના નોંધપાત્ર પ્રયત્નોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, અમે ઈસરો અને તેના પુરુષો અને મહિલાઓનાં ઋણી છીએ. તેમની મહેનત અને સમર્પણથી ભારત અવકાશની દુનિયાના અગ્રણી દેશોની લાઈનમાં ઉભું રહ્યું છે અને ભાવિ પેઢીઓને તારાઓ સુધી પહોંચવાની પ્રેરણા આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, “આ દરેક ભારતીયના હૃદયમાં તેમના માટે આપણા વૈજ્ઞાનિકોની નોંધપાત્ર ક્ષમતા, ખ્યાતિ અને વિશેષ સ્થાનની સાક્ષી છે.” તેમણે કહ્યું, ચંદ્રયાનની યાત્રા થોડી લાંબી રહી છે, પરંતુ ઈસરોનો ઈતિહાસ છે તે ઉદાહરણોથી ભરેલું છે કે નિરાશામાંથી જ આશા પેદા થશે. તેઓએ ક્યારેય હાર માની નથી. આજે આપણે ત્યાં પહોંચી ન શક્યા પરંતુ આવતી કાલે આપણે ચોક્કસ ત્યાં પહોંચીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેમણે ભૂતકાળમાં ઇસરોની સફળતાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે દરેક અવરોધો ભવિષ્યની સફળતા પહેલા માત્ર એક સ્ટોપ છે. નોંધપાત્ર વાત એ છે કે ચંદ્રયાન-2 લેંડર ‘વિક્રમ’ ચંદ્ર પર ઉતરતી વખતે ગ્રાઉન્ડ સ્ટેશનનો સંપર્ક ગુમાવી દીધો હતો. જ્યારે લેન્ડર ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટરની ઉંચાઈ પર હતો ત્યારે સંપર્ક તૂટી ગયો હતો. રાત્રિના એક વાગ્યાની આસપાસ લેન્ડરને ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ ચંદ્ર પર ઉતરતી વખતે, તેનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક 2.1 કિ.મી.ની ઉંચાઈથી સંપર્ક તૂટી ગયો.

આ પણ વાંચો: VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">