શાહીનબાગ પ્રદર્શનમાં મધ્યસ્થીઓ ફરી પહોંચ્યા પણ આ બાબતે મામલો ગૂંચવાયો!
શાહીનબાગ ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરેલાં મધ્યસ્થીઓ આજેપણ ત્યાં લોકોને મળવા માટે પહોંચ્યા હતા. સાધના રામચંદ્ર અને વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ શાહીનબાગ આવીને કહ્યું કે તમે બોલાવ્યા અને અમે આવ્યા. નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ દિલ્હીના શાહીનબાગ ખાતે થઈ રહ્યો છે અને આ પ્રદર્શનના લીધે સુપ્રીમ કોર્ટે સમજાવટ માટે […]
શાહીનબાગ ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરેલાં મધ્યસ્થીઓ આજેપણ ત્યાં લોકોને મળવા માટે પહોંચ્યા હતા. સાધના રામચંદ્ર અને વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ શાહીનબાગ આવીને કહ્યું કે તમે બોલાવ્યા અને અમે આવ્યા. નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ દિલ્હીના શાહીનબાગ ખાતે થઈ રહ્યો છે અને આ પ્રદર્શનના લીધે સુપ્રીમ કોર્ટે સમજાવટ માટે સાધના રામચંદ્ર અને સંજય હેગડેની નિયુક્તી કરી છે.
શું રહ્યો ઘટનાક્રમ?
- સાધના રામચંદ્રે કહ્યું કે અમે તમારી સાથે વાત કરવા માટે આવ્યા છીએ કારણ કે તમે સાચા પ્રદર્શનકારીઓ છો. મીડિયા નથી જેના લીધે મીડિયાને બહાર રાખવામાં આવે.
- સંજય હેગડેએ કહ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ છે ત્યાં સુધી તમારી સુનાવણી કોઈ નહીં રોકી શકે. એવું ના સમજતા કે તમને કોઈ સાંભળી રહ્યું નથી.
- શાહીનબાગ ભારતમાં થઈ રહેલાં પ્રદર્શનોમાં મિસાલ બને તેવું પણ સંજય હેગડેએ કહ્યું હતું.
- સાધના રામચંદ્રને કહ્યું કે એવો કોઈ ઉપાય નીકાળવો પડશે કે રસ્તો પણ ખૂલી જાય અને આંદોલન પણ ચાલુ રહે.
- આ ઉપરાંત રામચંદ્રને કહ્યું કે સુપ્રીમ કોર્ટે તમારી તરફ હાથ આગળ વધાર્યો છે અને તેના લીધે અમે અહીં આવ્યા છીએ.
- સંજય હેગડેએ કહ્યું કે મીડિયા બહાર જાય જો કે પ્રદર્શનકારીઓએ કહ્યું કે તેઓ જે વાત કરવી હોય તે મીડિયાની સામે જ કરે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]