ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી મૌકુફ રહે તેવી સંભાવના
દેશમાં કોરોનાકાળને ધ્યાને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચે આગામી સપ્ટેમ્બરમાં અસમ, બિહાર, મધ્યપ્રદેશમાં યોજાનાર પેટાચૂંટણી રદ કરી છે. કેન્દ્રીય ચૂંટણીપંચે પેટાચૂંટણી ટાળતા કહ્યું છે કે, દેશમાં હાલ પેટાચૂંટણી કરવા માટે યોગ્ય વાતાવરણ નથી. બીજો આદેશ ના થાય ત્યા સુધી લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટેની પેટાચૂંટણી સ્થગિત કરી છે. જો કે કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાતનો નામોલ્લેખ […]
દેશમાં કોરોનાકાળને ધ્યાને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચે આગામી સપ્ટેમ્બરમાં અસમ, બિહાર, મધ્યપ્રદેશમાં યોજાનાર પેટાચૂંટણી રદ કરી છે. કેન્દ્રીય ચૂંટણીપંચે પેટાચૂંટણી ટાળતા કહ્યું છે કે, દેશમાં હાલ પેટાચૂંટણી કરવા માટે યોગ્ય વાતાવરણ નથી. બીજો આદેશ ના થાય ત્યા સુધી લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટેની પેટાચૂંટણી સ્થગિત કરી છે.
જો કે કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાતનો નામોલ્લેખ કર્યો નથી પણ માનવામાં આવે છે કે, દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ એક સમાન છે. અને પેટાચૂંટણી અંગે લાગુ પડતા નિયમો પણ સરખા જ હોય. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થયા બાદ, કોંગ્રેસની ટિકીટ પર ચૂંટાયેલા અબડાસા, ધારી, ગઢડા, લિંમડી, મોરબી, કપરાડા, કરજણ અને ડાંગ બેઠકના ધારાસભ્યોએ રાજીનામા આપતા આ આઠ બેઠકો ખાલી પડી છે. જેની પેટાચૂંટણી સપ્ટેમ્બર સુધીમા યોજવાની વાત હતી.