સુરતના વરાછામાં CAAના સમર્થનમાં ભાજપની મહારેલીનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, CMએ કોંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા
સુરતના વરાછા વિસ્તારમાં CAAના સમર્થનમાં વિશાળ રેલીનો પ્રારંભ થયો છે. સીએમ રૂપાણીએ રેલીનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે સીએમ રૂપાણીએ કૉંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા હતા. તેમણે કૉંગ્રેસ પર આતંકીઓને બિરયાની ખવડાવ્યાના અને આતંકીઓ સાથે ઈલુ ઈલુ કર્યાના આક્ષેપ કર્યા હતા. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની […]
સુરતના વરાછા વિસ્તારમાં CAAના સમર્થનમાં વિશાળ રેલીનો પ્રારંભ થયો છે. સીએમ રૂપાણીએ રેલીનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે સીએમ રૂપાણીએ કૉંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા હતા. તેમણે કૉંગ્રેસ પર આતંકીઓને બિરયાની ખવડાવ્યાના અને આતંકીઓ સાથે ઈલુ ઈલુ કર્યાના આક્ષેપ કર્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ રેલીમાં રાજ્ય સરકારના પ્રધાનો, સુરતના ધારાસભ્યો, કોર્પોરેટરો, નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા. આ રેલી વરાછા મીની બજારથી નીકળી હતી, જે હીરાબાગ સર્કલ નજીક પૂરી થશે.
આ રેલીમાં આકર્ષણનું કેન્દ્ર સુરતના વોર્ડ નંબર-1ના કોર્પોરેટર હીના ચૌધરી બન્યા હતા. હીના ચૌધરીના આજે લગ્ન છે. તેમ છતાં તેઓ રેલીમાં જોડાયા. તેઓ પીઠી અને દુલ્હનનો સાજ-શણગાર સજીને રેલીમાં પહોંચ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: અમદાવાદ: નંદનવન ડેનિમ કંપનીમાં ભીષણ આગની ઘટનામાં વધુ એક મૃતદેહ મળી આવ્યો, મોતનો આંકડો વધે તેવી શક્યતા