VIDEO: જામનગરના સાંસદ પૂનમ માડમે પાક વીમા કંપનીઓની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ
પાક વીમાના વળતર મામલે વીમા કંપનીઓની આડોડાઇનો મુદ્દો હવે સડકથી માંડીને સંસદ સુધી ગૂંજ્યો છે. અને વીમા કંપનીઓની આડોડાઇ મુદ્દે ભાજપના નેતાઓ હવે ખૂલીને સામે આવી રહ્યા છે. જામનગરના સાંસદ પૂનમ માડમે આજે સંસદમાં વીમા કંપનીઓની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. અને વીમા કંપનીઓ પોતાને ફાયદો થાય તેવી નીતિઓ અપનાવી રહ્યાનો આરોપ લગાવ્યો હતો. […]
પાક વીમાના વળતર મામલે વીમા કંપનીઓની આડોડાઇનો મુદ્દો હવે સડકથી માંડીને સંસદ સુધી ગૂંજ્યો છે. અને વીમા કંપનીઓની આડોડાઇ મુદ્દે ભાજપના નેતાઓ હવે ખૂલીને સામે આવી રહ્યા છે. જામનગરના સાંસદ પૂનમ માડમે આજે સંસદમાં વીમા કંપનીઓની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. અને વીમા કંપનીઓ પોતાને ફાયદો થાય તેવી નીતિઓ અપનાવી રહ્યાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: VIDEO: ગુજરાતના ખેડૂતોએ પેપ્સીકો કંપની સામે માંડ્યો મોરચો, FC5 બિયારણનુ વાવેતર કરી સત્યાગ્રહની કરી શરૂઆત
જોકે સાંસદનું માનવું છે કે વીમા કંપનીઓ ખેડૂતોને તેમના હકનું વળતર આપવામાં ઠાગાઠૈયા કરે છે. જોકે તેઓએ માગ કરી કે વીમા કંપનીઓનો અબાધિત અધિકાર નિયંત્રિત કરવો જોઇએ. મહત્વપૂર્ણ છે કે આ અગાઉ ભાજપના સાંસદ પરબત પટેલ પણ વીમા કંપનીઓ સામે મોરચો માંડી ચૂક્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તો ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી પણ ખેડૂતોનો પક્ષ લઇને પોતાની નારાજગી દર્શાવી ચૂક્યા છે. એટલું જ નહીં રાજ્યના મુખ્યપ્રધાને પણ વીમા કંપનીઓ સામે લાલ આંખ કરી છે. ત્યારે જોવાનું એ રહે છે કે હવે વીમા કંપનીઓ સામે ભાજપના નેતાઓનો આ મોરચો ખેડૂતોને વળતર અપાવવામાં કેટલો સફળ થાય છે. અને ભાજપના નેતાઓની નારાજગીથી વીમા કંપનીઓના પેટનું પાણી હલે છે કે કેમ…?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો