બિહારમાં NDAની જીત પર દિલ્હીમાં ઉત્સાહનો માહોલ, વડાપ્રધાને મતદારોનો માન્યો આભાર
બિહારમાં એનડીએની જીતને પગલે દિલ્લીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત પર વડાપ્રધાને ખુશી વ્યક્ત કરી. આ સાથે વડાપ્રધાને બિહારની જનતા અને દેશવાસીઓનો આભાર માન્યો હતો. વડાપ્રધાને પોતાના સંબોધનમાં અગાઉ બિહારમાં ચૂંટણી દરમિયાન કેવો માહોલ રહેતો હતો તેનો ઉલ્લેખ કર્યો હતો. અને, ઉમેર્યું કે ભાજપના શાસનમાં ચૂંટણી પ્રક્રિયાઓ શાંતિપૂર્ણ માહોલમાં થઇ […]
બિહારમાં એનડીએની જીતને પગલે દિલ્લીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત પર વડાપ્રધાને ખુશી વ્યક્ત કરી. આ સાથે વડાપ્રધાને બિહારની જનતા અને દેશવાસીઓનો આભાર માન્યો હતો. વડાપ્રધાને પોતાના સંબોધનમાં અગાઉ બિહારમાં ચૂંટણી દરમિયાન કેવો માહોલ રહેતો હતો તેનો ઉલ્લેખ કર્યો હતો. અને, ઉમેર્યું કે ભાજપના શાસનમાં ચૂંટણી પ્રક્રિયાઓ શાંતિપૂર્ણ માહોલમાં થઇ રહી છે. તેમણે કોરોનાકાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી આસાન ન હોવાનું જણાવ્યું અને આ મામલે ચૂંટણીપંચની કામગીરીના પણ મોદીએ વખાણ કર્યા હતા. વધુમાં મોદી પોતાના સંબોધનમાં શું બોલ્યા સાંભળો આ વીડિયોમાં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો