બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમારે રાજકીય સંન્યાસની કરી જાહેરાત, પૂર્ણીયાની ચૂંટણી સભાને ગજવતા કહ્યું આ મારી છેલ્લી ચૂંટણી છે
બિહાર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાન માટેના પ્રચારના છેલ્લા દિવસે મુખ્યપ્રધાન નિતીશ કુમારે પૂર્ણીયામાં જનતાને સંબોધતા કહ્યુ કે, આ ચૂંટણી તેમના રાજકીય જીવનની છેલ્લી ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા. પૂર્ણિયામાં ચૂંટણી સભા સંબોધતા, નિતીશ કુમારે કહ્યુ કે આજે ચૂટણીપ્રચારનો અંતિમ દિવસ છે. અને પરમદિવસે ચૂંટણી છે. આ મારી આખરી ચૂંટણી છે. […]
બિહાર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાન માટેના પ્રચારના છેલ્લા દિવસે મુખ્યપ્રધાન નિતીશ કુમારે પૂર્ણીયામાં જનતાને સંબોધતા કહ્યુ કે, આ ચૂંટણી તેમના રાજકીય જીવનની છેલ્લી ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા.
પૂર્ણિયામાં ચૂંટણી સભા સંબોધતા, નિતીશ કુમારે કહ્યુ કે આજે ચૂટણીપ્રચારનો અંતિમ દિવસ છે. અને પરમદિવસે ચૂંટણી છે. આ મારી આખરી ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા. હવે તમે કહો વોટ આપશો કે નહી ?
નિતીશ કુમાર 1977માં પહેલી ચૂંટણી લડ્યા હતા. નાલંદાના હરનૌત બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પરથી નિતીશ કુમાર ચાર વાર ચૂંટણી લડ્યા છે. જેમા 1977 અને 1980માં હાર્યા હતા તો 1985 અને 1995ની ચૂંટણીમાં જીત્યા હતા.
બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 15 જિલ્લાની 78 બેઠક પર 7મી નવેમ્બરે મતદાન થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો