BENGALના મુખ્યમંત્રીના નજીક ગણાતા સાંસદની ભાજપમાં જવાની અટકળ તેજ, TMCમાં મચ્યો હડકંપ
પશ્ચિમ બંગાળ (WEST BENGAL)માં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ વચ્ચે ઘણા સભ્યો પક્ષપલટું કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળના (WEST BENGAL) ટીએમસી (TMC)માં ભંગાણ થયું છે.
પશ્ચિમ બંગાળ (WEST BENGAL)માં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ વચ્ચે ઘણા સભ્યો પક્ષપલટું કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળના (WEST BENGAL) ટીએમસી (TMC)માં ભંગાણ થયું છે. મમતા બેનર્જીના( MAMATA BANERJEE) પૂર્વ મંત્રી શુભેદુ અધિકારીએ (SHUBHEDU ADHIKARI) ટીએમસી (TMC) સાથે છેડો ફાડ્યા બાદ ટીએમસી (TMC)માં ભાગદોડ મચી જવા પામી છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીના (MAMATA BANERJEE) નજીકના અને ટીએમસી (TMC) સાંસદ શતાબ્દી રૉયની (SHTABDI ROY) ભાજપ(BJP) માં જવાની અટકળ તેજ થઈ છે. શતાબ્દી રૉય (SHTABDI ROY) 16 જાન્યુઆરીના રોજ તેની સ્થિતિ જણાવશે. શતાબ્દી રૉય (SHTABDI ROY) વર્ષ 2009 થી બિરભૂમથી ટીએમસીની (TMC) સાંસદ છે. તો બીજી તરફ મમતા બેનર્જીના(MAMATA BANERJEE) બાગી મંત્રી રાજીવ બેનર્જીનું (RAJIV BANERJEE) સસ્પેન્સ છે, તે 16 જાન્યુઆરીના રોજ ફેસબુક (FACEBOOK) લાઈવ કરશે.
શુભેદુ અધિકારીના (SHUBHEDU ADHIKARI) પિતા શિશિર અધિકારીએ (SHISHIR ADHIKARI) પાર્ટી વિરુદ્ધ જણાવ્યું હતું. શિશિર અધિકારીને (SHISHIR ADHIKARI) હાલમાં જ શંકરપૂર વિકાસ પ્રાધિકરણના ચેરમેન અને પૂર્વ મેદિનીપૂર ટીએમસી (TMC) જિલ્લા અધ્યક્ષ પદથી હટાવી દેવામાં આવ્યા હતા. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે, અસ્વસ્થતાને લઈને તેને હટાવવામાં આવ્યા છે પરંતુ શિશિર અધિકારીએ (SHISHIR ADHIKARI) કહ્યું હતું કે, તે બીજા નેતાથી ઘણા એક્ટિવ છે તેથી તેને જે નિર્ણય લેવો હશે તે લેશે.
બંગાળી(BENGAL) ફિલ્મની એક્ટ્રેસ રહી ચૂકેલી અને સાંસદ શતાબ્દી રૉયએ (SHTABDI ROY) ફેન પેજ પરથી એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં લખ્યું હતું કે, તમારું 2021 નું વર્ષ બહુ જ સારું રહેશે. આ પ્રદેશ સાથેની મારી નિયમિત પ્રતિક્રિયા ચાલુ છે, પરંતુ આજકાલ ઘણા લોકો મને પૂછે છે કે હું ઘણા કાર્યક્રમોમાં શા માટે દેખાતી નથી. હું તેમને કહું છું કે મારે બધી જગ્યા પર જવું હોય છે. મને તમારી સાથે રહેવાનું પસંદ છે, પરંતુ મને લાગે છે કે કેટલાક લોકો ઇચ્છતા નથી કે હું તમારી પાસે જાવ ” પોસ્ટમાં આગળ લખ્યું છે કે, મને પ્રોગ્રામના ઘણા સમાચાર મળતા નથી. મને ખબર ન હોય તો હું કેવી રીતે જઈ શકું? આ સાથે મને માનસિક પીડા પણ થાય છે. છેલ્લા દસેક વર્ષોમાં મે ઘરથી વધુ સમય તમારા અથવા તમારું પ્રતિનિધિત્વ કરવામાં વિતાવ્યો છે. કામ કરવાની પૂરી કોશિશ કરવા છતાં પણ દુશ્મન પણ તેને સ્વીકાર છે તો નવા વર્ષે હું નિર્ણય લેવાની કોશિશ કરી રહી છું કે હું મારા માટે વધુમાં વધુ સમય કાઢી શકું.
વધુમાં લખ્યું હતું કે, “હું આપ સૌની આભારી છું. 2009થી તમે મને ટેકો આપીને લોકસભામાં મોકલી છે. આશા છે કે તમને ભવિષ્યમાં પણ પ્રેમ મળશે. લાંબા સમય પછી બંગાળના (BENGAL) લોકોએ મને શતાબ્દી રોય (SHTABDI ROY) તરીકે પ્રેમ કર્યો છે. હું મારી ફરજ નિભાવવા પણ પ્રયત્ન કરીશ. જો હું કોઈ નિર્ણય લઈશ તો હું 16 જાન્યુઆરી 2021 ને શનિવારે બપોરે 2 વાગ્યા સુધીમાં તમને જાણ કરીશ. ” બીજી તરફ મંત્રી રાજીવ બેનર્જી (RAJIV BANERJEE)16 જાન્યુઆરીએ ફેસબુક લાઇવ કરશે. હાલ તો લોકોની નજર 16 જાન્યુઆરી પર ટકેલી છે.
આ પણ વાંચો: વિજય રૂપાણીએ કરફ્યૂ અંગે કરી મહત્વની જાહેરાત, આગામી 15 દિવસ કરફ્યૂ યથાવત્ રહેશે