Arvind Kejriwal આવશે સુરત, રોડ-શો કરીને લોકોનો માનશે આભાર
Arvind Kejriwal આવશે સુરત, રોડ-શો કરીને લોકોને માનશે આભાર, આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના સીએમ Arvind Kejriwalવિજય ઉત્સવ મનાવવા સુરત આવશે.
સુરતમાં આમ આદમી પાર્ટીએ મનપા ચૂંટણીમાં 27 બેઠકો પર કબજો મેળવ્યો છે. જેના પગલે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના સીએમ Arvind Kejriwalવિજય ઉત્સવ મનાવવા સુરત આવશે. આ દરમ્યાન તેવો સુરતમાં રોડ શો પણ આયોજિત કરશે.
અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ
સવારે 8:00 કલાકે સુરત એરપોર્ટ પર આગમન
એરપોર્ટથી સર્કિટ હાઉસ જશે સર્કિટ હાઉસમાં સામાજીક-રાજકીય આગેવાનો સાથે મુલાકાત
બપોરે 3:00 વાગે સુરતના (વરાછા) મીની બઝાર માનગઢ ચોકથી રોડ-શોમાં જોડાશે
રોડ શોનો રુટ આ પ્રમાણે રહેશે
મીનીબજાર-માનગઢ ચોક-હિરાબાગ-રચના સર્કલ-કારગીલ ચોક-કિરણ ચોક-યોગી ચોક-સીમાડા નાકા-સરથાણા જકાતનાકા રોડ-શો પૂર્ણાહુતિ અને જનસભા સંબોધન કરશે
સાંજે 7:00 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થશે
આમ આદમી પાટીએ આ વખતે ગુજરાતમાં સ્વચ્છ શાસન અને ભ્રષ્ટાચારના મુદ્દા સાથે લોકો સમક્ષ ગયા હતા. તેમણે રાજયમાં શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રમાં દિલ્હીના આમ આદમી પાટી સરકારના મોડેલને પણ લોકો સમક્ષ મૂક્યું હતું. તેમજ આ વખતે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ પણ ચુંટણી પૂર્વે પ્રવાસ કરીને લોકોમાં વિશ્વાસ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો.