Mamata Banerjee ને વધુ એક આંચકો, ફોરેસ્ટ મંત્રી રાજીવ બેનર્જીએ આપ્યું રાજીનામું
પશ્ચિમ બંગાળમાં આગામી મહિનાઓમાં ચુંટણી યોજાવવાની છે, તેવા સમયે સત્તાધારી પક્ષ ટીએમસી અને Mamta Banarjee એક વધુ આંચકો લાગ્યો છે. Mamta Banarjee સરકારના ફોરેસ્ટ મીનીસ્ટર રાજીવ બેનર્જીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
પશ્ચિમ બંગાળમાં આગામી મહિનાઓમાં ચુંટણી યોજાવવાની છે, તેવા સમયે સત્તાધારી પક્ષ ટીએમસી અને Mamta Banarjee એક વધુ આંચકો લાગ્યો છે. Mamta Banarjee સરકારના ફોરેસ્ટ મીનીસ્ટર રાજીવ બેનર્જીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામાંમાં લખ્યું છે કે પશ્ચિમ બંગાળમાં લોકોની સેવા કરવી સન્માન અને સૌભાગ્યની વાત છે. મને આ અવસર પ્રદાન કરવા બદલ હું જનતાનો આભારી છું.
રાજીવ બેનર્જીના રાજીનામા બાદ અફવાઓનું બજાર ગરમ છે તેમજ ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે તે પણ સુવેંદુ અધિકારીની જેમ ભાજપનો હાથ થામશે, આ દરમ્યાન પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ જગદીપ ધનકડે રાજીવ બેનર્જીનું રાજીનામું મંજુર કરી લીધું છે.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ટીએમસી ધારાસભ્ય અરિન્દમ ભટ્ટાચાર્યે બુધવારે ભાજપનો હાથ થામી લીધો હતો. ગત મહિને પણ સુવેન્દુ અધિકારી સહિત ટીએમસીના અનેક નેતાઓ ભાજપમાં સામેલ થયા હતા. તે સમયે ગુહમંત્રી અમિત શાહે નિવેદન કર્યું હતું કે ચુંટણી પૂર્વે મમતા બેનર્જીએ એકલા રહી જશે.
નાદિયાના શાંતિપૂરના ધારાસભ્ય અરિન્દમ ભટ્ટાચાર્ય છેલ્લી વિધાનસભા બેઠકમાં કોંગ્રેસની બેઠક પર ચુંટણી લડયા હતા. તેની બાદ તે ટીએમસીમાં સામેલ થયા હતા. અરિન્દમ ભટ્ટાચાર્ય નવી દિલ્હીમાં ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય સહિત અનેક નેતાઓની હાજરીમાં ભાજપમાં સામેલ થયા. આ દરમ્યાન તેમણે કહ્યું કે કોંગ્રેસના ચુંટણી નિશાન પર જીત્યો હતો અને ટીએમસી સમર્થન આપ્યું કે વિકાસ થશે પરંતુ તેવું થયું નહી.