આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડીની સરકાર આવતાની સાથે ચંદ્રબાબુ નાયડૂનું સરકારી નિવાસ તોડી પડાયું
આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડૂનું સરકારી નિવાસસ્થાન તોડવાની શરૂઆત થઈ ચૂકી છે. પ્રજા વેદિકા નામનું આવસ સ્થાનને બુલ્ડોઝરની મદદથી તોડી રહ્યા છે. ત્યારે વિદેશ યાત્રાથી પરત આવીને ચંદ્રબાબુ નાયડૂ પ્રજા વેદિકા પર પહોંચી ગયાછે. સાથે ટીડીપીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર છે. ચંદ્રબાબુ અને તેના સમર્થકોના વિરોધ વચ્ચે જેસીબી, […]
આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડૂનું સરકારી નિવાસસ્થાન તોડવાની શરૂઆત થઈ ચૂકી છે. પ્રજા વેદિકા નામનું આવસ સ્થાનને બુલ્ડોઝરની મદદથી તોડી રહ્યા છે. ત્યારે વિદેશ યાત્રાથી પરત આવીને ચંદ્રબાબુ નાયડૂ પ્રજા વેદિકા પર પહોંચી ગયાછે. સાથે ટીડીપીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર છે. ચંદ્રબાબુ અને તેના સમર્થકોના વિરોધ વચ્ચે જેસીબી, 6 ટ્રક અને 30 મજૂરોએ બિલ્ડિંગને તોડવાનું કામ શરૂ કરી દીધુ છે.
આ પણ વાંચોઃ સુરત અગ્નિકાંડ બાદ સરકાર ફાયર પોલિસીમાં ફેરફાર કરવા માટે વિધાનસભામાં વિધેયક રજૂ કરશે
મહત્વનું છે કે, મુખ્યપ્રધાન જગન રેડ્ડીના આદેશથી જ આ મકાન તોડવામાં આવી રહ્યું છે. જેને લઈને તંત્રએ મંગળવાર રાત્રીથી જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. તો 26 તારીખ સુધીમાં મકાનને જમીનદોસ્ત કરી દેવાશે. ચંદ્રબાબુ નાયડૂએ પ્રજા વેદિકા નામના ઘરને વિપક્ષ નેતાનું સરકારી આવાસ જાહેર કરવાની માગણી કરી હતી. પરંતુ જગન રેડ્ડીએ આ માગણીને નકારી દીધી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
5 કરોડની કિંમતનું આ ઘર ચંદ્રબાબુ નાયડૂ પોતાની સરકાર સમયે ઉપયોગ કરતા હતા. સાથે પોતાની પાર્ટીની મહત્વની બેઠક પણ આ સ્થાન પર યોજાતી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો